વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર જાણ્યા

by Investing A2Z

અમદાવાદ- અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ A 171 વિમાન (Air India Boeing plane crashes in Ahmedabad) ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. (Plane crash incident in Ahmedabad) જેમાં 241 મુસાફરો સહિત કુલ 268 લોકોના મોત થયા છે. વિમાનમાં 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર સહિત કુલ 242 મુસાફરો હતા, જેમાંથી એક જ મુસાફર જીવીત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી આજે સવારે 8.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને તેઓ સીધા એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે સ્થળે પહોંચ્યા હતા અને તમામ જાણકારી મેળવી હતી. (PM Narendra Modi visits plane crash site) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ બારીકાઈથી સ્થળ નિરિક્ષણ કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય ઉડ્ડયનપ્રધાન રામ મોહન નાયડુ અને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી હતા, અને તેમણે તમામ ઘટનાની જાણકારી પીએમ મોદીને આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં 41 ઘાયલોની સારવાર ચાલી રહી છે, તેમના ખબરઅંતર પુછ્યા હતા. (PM Narendra Modi inquires about the injured in hospital)

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઘાયલોની મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલથી રવાના થયા હતા, અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કેટલાક પ્રધાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​ શુક્રવારે ​અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન અકસ્માતમાં ઘણા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેઓ જે અપાર દુઃખ અને નુકસાન સહન કરી રહ્યા છે.

આજે પહેલા મોદીએ અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનું પ્રત્યક્ષ મૂલ્યાંકન કર્યું હતું. તેમણે આપત્તિ પછી અથાક કામ કરી રહેલા અધિકારીઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે મુલાકાત કરી હતી.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું:

“અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથી આપણે બધા આઘાત પામ્યા છીએ. આટલા બધા લોકોના અચાનક અને હૃદયદ્રાવક નુકસાનનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.”

“આજે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુ:ખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમને મળ્યો. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદનાઓ છે.”

Top Trending News

રામ રાખે તેને કોણ ચાખે? અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો, તસવીર આવી સામે

એર ઈન્ડિયાના વિમાન ક્રેશમાં જીવીત બચી ગયેલા એક માત્ર મુસાફર રમેશ વિશ્વાસકુમારે ડોકટરો સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે દુર્ઘટના બની ત્યારે વિમાન તૂટી ગયું હતું ત્યારે તે પોતાની સીટ સાથે બહાર ફેંકાઈ ગયો હતો અને આથી તે આગની જ્વાળામાં લપેટાયો ન હતો. જો કે તેણે એમ પણ કહ્યું હતું  તે વિમાનમાં કૂદીને જીવ બચાવ્યો તેવું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ રમેશ વિશ્વાસકુમારના હાલચાલ જાણ્યા હતા અને તેમની સાથે વાત પણ કરી હતી.

Related Posts

Leave a Comment