અમદાવાદ- અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર એર ઈન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું હતું. (Air India Plane Crash in Ahmedabad) એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર પ્લેન AI 171 અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad Airport) ટેકઓફ થયેલ પ્લેન માત્ર 10 જ મિનીટમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં બે પાયલોટ સહિત 10 ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો હતા. પ્લેન ક્રેશ થયું તેમાં અનેકના મોત થયા છે, અને 41 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પણ આ જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તે એક મુસાફર બચી ગયા છે. તેમને સામાન્ય ઈજા પહોંચી છે, અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. (A passenger survived a plane crash in Ahmedabad)
અમદાવાદ પ્લેન ક્રેશમાં (Ahmedabad બચી ગયેલ મુસાફરનું નામ રમેશ વિશ્વાસકુમાર છે. રમેશ વિશ્વાસકુમારે કહ્યું હતું કે આ દુર્ઘટના પછી જોરદાર ધડાકો થયો હતો. ચારે તરફ આગની જ્વાળોએ લેપટાઈ ગઈ હતી. મને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મને પોતાને વિશ્વાસ નથી થતો કે હું કેવી રીતે જીવીત રહ્યો. આ કોઈ કુદરતી ચમત્કારથી ઓછું નથી.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રમેશ વિશ્વાસકુમાર 11A સીટ પર બેઠા હતા. અને જાણવા મળ્યા મુજબ તેઓ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં રમેશ ઈમરજન્સી ગેટથી બહાર કૂદી પડ્યા હતા.
Top News
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન
બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું હતું, જે હોસ્ટેલની મેસમાં જમી રહેલા 4 ડૉકટર વિદ્યાર્થીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. અને પાંચ વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળે છે.
એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેના કેપ્ટન સુમિત સભરવાલ વિમાન ઓપરેટ કરી રહ્યા હતા. તેમજ તેમની સાથે ફર્સ્ટ ઓફિસર કલાઈવ કુંદર હતા. સુમિત સભરવાલ ખૂબ જ અનુભવી પાયલોટ છે. તેમને 8200 કલાક ફ્લાઈટ ઉડાડવાનો અનુભવ હતો.