નવી દિલ્હી- ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક (Asian Development Bank – ADB) દ્વારા પાકિસ્તાન માટે મંજૂર કરાયેલા 800 મિલિયન ડૉલરના રાહત પેકેજનો ભારે વિરોધ કર્યો છે. (ADB’s $800 million relief package to Pakistan) ભારતે ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન આ નાણાંનો દૂરુપયોગ કરી શકે છે, તેનો ટેક્સ જીડીપી રેશિયો (Tax GDP Ratio) ઘટી રહ્યો છે. અર્થતંત્ર (Pakistan Economy) નબળું પડી રહ્યું છે.
ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) તરફથી પાકિસ્તાન માટે 800 મિલિયન ડૉલરના રાહત પેકેજનો સખત વિરોધ કર્યો છે. (India strongly opposes to Pakistan Loan by ADB) ભારતે આતંકવાદીઓને મદદ કરવાના પાકિસ્તાનના કાર્યોની વાત જણાવી હતી અને એ પણ કહ્યું હતું કે પાકિસ્તાન ADB સહિત કોઈપણ આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી મળેલા નાણાંનો દૂરુપયોગ કરી રહ્યું છે. (Pakistan misusing loan money) તે તેનો મોટો ભાગ શસ્ત્રો ખરીદવામાં ખર્ચ કરે છે. ADB એ મંગળવારે પાકિસ્તાન માટે 800 મિલિયન ડૉલરના પેકેજને મંજૂરી આપી હતી. જાણવા મળ્યા મુજબ ભારતે ADB ને કહ્યું છે કે તેણે ખાતરી કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ કે પાકિસ્તાનને આપવામાં આવેલા નાણાંનો ઉપયોગ તેમની શરતો અનુસાર કરે છે કે નહી.
ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન આ ADB ભંડોળનો દૂરુપયોગ કરી શકે છે કારણ કે એક તરફ તેનો ટેક્સ જીડીપી રેશિયો ઘટી રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થા બગડી રહી છે, બીજી તરફ તે લશ્કરી હથિયારો પરનો ખર્ચ વધારી રહ્યું છે.
જાણવા મળ્યા મુજબ ભારતે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની શરતોનું પાલન કરી રહ્યું નથી. જે આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ સંબંધિત પગલાંઓનું નિરીક્ષણ કરતી વૈશ્વિક સંસ્થા છે. ટેરર ફાયનાન્સિંગની તપાસ અને સંયુક્ત રાષ્ટ્ર તરફથી આતંકવાદી જાહેર થયેલા લોકો પર એક્શન લેવા અને તેમની સંપત્તિ જપ્ત કરવા માટે જે શરતો FATF દ્વારા રખાઈ છે, તેના પાલનમાં પાકિસ્તાનનો રેકોર્ડ બહુ જ ખરાબ છે.
Top Video News
સેન્સેક્સ 260 પોઈન્ટ પ્લસ, ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો કેમ આવ્યો
ભારતે ધ્યાન દોર્યું હતું કે ભલે પાકિસ્તાને કેટલાક કિસ્સાઓમાં સુધારાનો દાવો કર્યો હોય, જો ADB અને IMF પાસેથી અગાઉ મળેલા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પાકિસ્તાનને 24મી વખત IMF પાસે જવું પડ્યું ન હોત. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની શરતોનું પાલન કરવામાં અસમર્થ છે કારણ કે તેની આર્થિક બાબતોમાં સૈન્યનો ઊંડો હસ્તક્ષેપ છે.
ભારતે ADB ને કહ્યું છે કે જો તે ભંડોળ આપે છે, તો તેણે એ પણ જોવું જોઈએ કે પાકિસ્તાન તેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે, નહીં તો જે રીતે તેનું અર્થતંત્ર મોટા પાયે લોન પર ચાલી રહ્યું છે, તેનાથી ADB ના પૈસા ડુબી જવાનો ભય છે.