નવી દિલ્હી- RBI એ વર્ષ 2023માં 2000 રૂપિયાની નોટો (Pink Rs 2000 Notes) બંધ કરી હતી, ત્યારબાદ લોકોને નોટો બદલવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી 2000 રૂપિયાની પુરી નોટો એટલે કે ચલણમાં છે તેટલી પુરી રકમની નોટો સરકાર પાસે પાછી આવી નથી. RBI એ આ અંગે સત્તાવાર રીતે અપડેટ જાહેર કર્યું છે. (Reserve Bank of India currency update)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) વર્ષ 2023માં 2000 રૂપિયાની ગુલાબી નોટો બંધ કરી હતી. પણ અત્યાર સુધી સરકારે પાસે 2000ની તમામ નોટો પરત આવી નછી. એટલે કે હજી પણ લોકો પાસે 2000 રૂપિયાની નોટો પડી છે. અત્રે નોંધનીય છે કે મે 2023માં સરકારે 2000 રૂપિયાની નોટો બંધ કરી હતી, જે પછી આ નોટોને બદલવા માટે લોકોને સપ્ટેમ્બર-2023 સુધીનો સમય આપ્યો હતો.
RBI દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર (RBI’s official update on Rs 2000 notes) હાલમાં 2000 રૂપિયાની 98.26 ટકા નોટો સરકાર પાસે પાછી આવી ગઈ છે. આનો અર્થ એ થાય કે લોકો પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે. લોકો પાસે હજુ 6,181 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો છે. જ્યારે 2000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી, ત્યારે તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. હવે જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ બદલાવવાની બાકી હોય, તો પણ તમે તેને બદલી શકો છો.
Top Trending News
આપે બેંકમાંથી લોન લીધી છે, તો તમારે માટે ગુડ ન્યૂઝ આવી શકે છે
જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તો તમે RBI કાર્યાલયમાં જઈને તેને બદલી શકો છો. RBI ની દેશભરમાં 19 ઓફિસ છે, જ્યાં તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. આ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. એટલું જ નહીં પણ તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તેને બદલી શકો છો.