અધધધ… નાણાકીય સહાય છતાં પાકિસ્તાન કેમ વધુ ગરીબ, વર્લ્ડ બેંકે કર્યો મોટો ખુલાસો

by Investing A2Z

નવી દિલ્હી- પાકિસ્તાનમાં આર્થિક સંકટ (Economic crisis in Pakistan) ઘટવાનું નામ નથી લેતું અને આઈએમએફથી (International Monetary Fund) લઈને વર્લ્ડ બેંક સુધીની નાણાકીય મદદ મળવા છતાં હાલ બેહાલ છે. (Why is Pakistan poorer despite financial assistance) આ સ્થિતિ વચ્ચે વર્લ્ડ બેંકે પાકિસ્તાનમાં ગરીબી વધવાની પાછળ કયા કારણો છે, (World Bank report reveals – Why is Pakistan poor) તેનો મોટો ખુલાસો કર્યો છે.

લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં આઈએમએફથી લઈને તમામ વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ મળવા છતાં હાલમાં પાકિસ્તાન બેહાલની સ્થિતિમાં છે. લોકો વધુને વધુ ગરીબ થઈ રહ્યા છે (Poverty has increased in Pakistan) અને મોંઘવારીએ ભરડો લીધો છે, લોકોને ખાવા પીવા અને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે ઝઝુમવું પડી રહ્યું છે. આ વચ્ચે પણ પાકિસ્તાન ભારતને ધમકીઓ આપી રહ્યું છે અને ભારતને લલકારી રહ્યું છે.

પાકિસ્તાનમાં સતત ગરીબી વધી રહી છે અને આ અમે નથી કહી રહ્યા, ખુદ વર્લ્ડ બેંકની રીપોર્ટમાં આ મુદ્દે જણાવવામાં આવ્યું છે અને તેમાં ગરીબી વધવાના કારણો જણાવ્યા છે. (Reasons for increasing poverty in Pakistan) ખાસ વાત એ છે કે આ રીપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે વર્લ્ડ બેંક જૂનમાં પાકિસ્તાનને 20 અબજ ડૉલરની લોનની રકમ એપ્રુવ કરી રહી છે.

Top Trending News

ભારતે રચ્યો ઈતિહાસઃ વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

વીતેલા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની બદ્તર સ્થિતિની તસવીરો વાયરલ થઈ છે અને આર્થિક તંગીની વચ્ચે લોકો રોટલીનો લોટ-દાળથી લઈને ગેસ પાણી મેળવવા સુધી ખૂબ જ તકલીફનો સામનો કરી રહ્યું છે, અને જીવને પણ જોખમમાં મુકીને વસ્તુ લેવા પડાપડી કરી રહ્યા છે. આવી હાલત પાકિસ્તાનમાં ત્યારે હતી કે જ્યારે દયા ખાઈને આઈએમએફ અને વર્લ્ડ બેંક મોટી રકમની સહાય કરી હતી. પણ આજે આતંકને આશરો આપીને તેમની ધરતી પર રહેનાર આતંકવાદીઓની પાછળ પાકિસ્તાન પૈસા લૂંટાવી રહ્યું છે. પાકિસ્તાની નાગરિકોનું જીવન ધોરણ કેમ ઊંચું આવે તે વિચારવાને બદલે આતંકીઓનું મદદગાર બની ગયું છે.

પહેલગામમાં આતંકી હૂમલા પછી આ વાત દુનિયાની સામે આવી છે કે પાકિસ્તાન આતંકીઓને રાખનારો દેશ છે. આ વાતની આઈએમએફને સ્પષ્ટ રીતે જાણ થઈ છે. તેમ છતાં તેમણે પાકિસ્તાનને 1 અબજ ડૉલરની વધારાની આર્થિક મદદ સાથે બેલઆઉટ પેકેજની મંજૂરી આપી છે. તે પછી પાકિસ્તાન પર 11 નવી શરતો લાદીને પાકિસ્તાનને ઝટકો આપ્યો છે.

પાકિસ્તાનની કંગાળ હાલત વચ્ચે દેશ પર 131 અબજ ડૉલરનું બહારનું દેવું છે. જે તેના જીડીપીના અંદાજિત 42 ટકા પહોંચી ગયું છે. મોંઘવારી, ભુખમરો અને બેરોજગારીની માર વચ્ચે જનતા પિસાઈ રહી છે.

હવે વર્લ્ડ બેંકનો એક નવો રીપોર્ટ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનમાં વધતી ગરીબીની પાછળ કયા કારણો છે, તેના મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં વર્લ્ડ બેંકે કહ્યું છે કે પાકિસ્તાની ગરીબી વધવાની પાછળ જનરલ સેલ્સ ટેક્સ (General Sales Tax)  એટલે કે જીએસટી (GST)ની મહત્વની ભૂમિકા છે. વર્લ્ડ બેંકે દાવો કર્યો છે કે જીએસટી (GST)ની ચુકવણીમાં પાકિસ્તાની પરિવારોને પ્રી ટેક્સ એક્સિપેંડિચરથી 7 ટકા વધારે છે. જે ગરીબ અને નબળા પરિવારોને વધુ ગરીબ બનાવવાનું કામ કરી રહ્યું છે.

Dawn ના એક રીપોર્ટમાં વર્લ્ડ બેંકના રીસર્ચ અનુસાર કહ્યું છે કે વ્યક્તિગત રાજકોષીય સાધનોનું સીમાંત યોગદાનના અનુમાન અને વ્યક્તિગત રાજકોષીય સાધનોનું ગરીબી અથવા અસમાનતા પર વધારાનો પ્રભાવ જ્યારે અન્ય તમામ રાજકોષીય સાધનોને સામેલ કરી શકે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે જનરલ સેલ્સ ટેક્સથી પાકિસ્તાનમાં રાષ્ટ્રીય ગરીબીમાં વૃદ્ધિનું સૌથી મોટુ યોગદાન છે.

Top Video News

સોનું 1,00,000 ઉપર જવાની તૈયારીમાં, નવેસરથી તેજી શરૂ થવા પાછળ કયા નવા કારણો?

વર્લ્ડ બેંકે પોતાના રીપોર્ટમાં પાકિસ્તાનને આ ખતરાની જાણ કર્યા પછી તેનાથી કેવી રીતે બચી શકાય છે, તેની સલાહ પણ આપી છે અને કહ્યું છે કે પાકિસ્તાન સરકારે ડોમેસ્ટિક રેવન્યૂ કલેક્શન અને પબ્લિક એક્સપેંડિચરમાં સુધારો કરવો પડશે. ફિસ્કલ ઈક્વિટીમાં સુધારો કરવાની ખૂબ જરૂર છે. તે ઉપરાંત વૈશ્વિક નાણાકીય સંસ્થાઓએ પાકિસ્તાનમાં પબ્લિક હેલ્થ અને એજ્યુકેશન સુધી પહોંચવા માટેના સુધારા કરવા પર ભાર આપ્યો છે. જે દેશમાં ગરીબી અને અસમાનતાને ઓછી કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

તેની સાથે વર્લ્ડ બેંકે પાકિસ્તાનને ટેક્સ સીસ્ટમની ખામીઓને ઉજાગર કરીને કહ્યું છે, કે પાકિસ્તાન માટે મુસીબત એ છે કે તેનું ઈનડાયરેક્ટ ટેક્સ પર વધુ ફોક્સ છે. અને સબસિડી એક્સપેંડિચરથી રેવન્યૂ ઉભી કરવાનો રસ્તો પસંદ કર્યો છે.

Related Posts

Leave a Comment