સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની અરજી નકારી કાઢી, હવે સરકારની તિજોરી છલકાશે!

by Investing A2Z

નવી દિલ્હી- ટેલીકોમ કંપનીઓ (Telecom Company) સોમવારે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને તાતા ટેલીસર્વિસીઝની પીટીશન અરજીને નકારી કાઢી છે. આ કંપનીઓને AGR (Adjusted Gross Revenue)ને ચુકવણી પર વ્યાજ, દંડ અને દંડની રકમ પર લાગનાર વ્યાજને માફ કરવા અરજી કરી હતી. જસ્ટીસ જે. બી.પારડીવાલાની બેંચે આ અરજીઓને નકારી કાઢી છે.

આ નિર્ણય વોડાફોન આઇડિયા (Vodafone Idea) ની તરફથી આવેલી અરજીના એક દિવસ પછી આવ્યો છે. વોડાફોન આઇડિયા લાંબા સમયથી નાણાંકીય તકલીફ સામે ઝઝુમી રહી છે. કંપની પોતાનું અસ્તિત્વને બચાવવા માટે AGRના 45,000 કરોડ રૂપિયા વધુની ચુકવણી માફ કરવાની કોર્ટને વિનંતી કરતી અરજી કરી હતી. ભારતી એરટેલે (Bharti Airtel) પણ એવી રીતે કે અરજી કરીને રાહત માંગી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી વોડાફોન આઇડિયાના (Vodafone Idea) શેર દોઢ વાગ્યા સુધી લગભગ 10 ટકા તૂટી ગયો હતો. તેમજ એરટેલ (Bharati Airtel)ના શેરમાં 0.2 ટકા ઘટાડો આવ્યો હતો. ભારતી એરટેલે તેના યુનિટ ભારતી હેક્સાકોમના (Bharti Hexacom) વ્યાજ અને દંડ સંબંધિત 34,745 કરોડ રૂપિયાની ચુકવણીને માફ કરવા માટે વિનંતી કરી હતી. કંપનીનું કહેવું હતું કે સુપ્રીમ કોર્ટના 1 સપ્ટેમ્બર, 2020ના રોજ AGR પર પહેલાના ચૂકાદાથી ટેલીકોમ સેક્ટર (Telecom Sector) પર ખૂબ જ આર્થિક દબાણ રહ્યું છે. કંપનીએ સાફ કરી દીધું છે કે તેમનો હેતુ કોર્ટના ચૂકાદાને પડકારવાનો નથી. પણ દંડ અને વ્યાજમાંથી રાહત મેળવવાનો છે.

અરજી અનુસાર ભારતી એરટેલ અને ભારતી હેક્સાકોમ પર 9,235 કરોડ રૂપિયાની મૂળ AGRની રકમ ચુકવવાની છે, પરંતુ વ્યાજ (21,850 કરોડ રૂપિયા), દંડ (3,995 કરોડ રૂપિયા) અને દંડ પર વ્યાજ (8,900 કરોડ રૂપિયા) ઉમેરવામાં આવતા હવે આ ચુકવણી વધીને 43,980 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દૂરસંચાર વિભાગ (DoT) એ 31 માર્ચ સુધી ચુકવવાની રકમ 38,397 કરોડ રૂપિયા આંકી છે.

Top News

ભારતની ટોપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) કંપનીઓ અંગે જાણો…

વોડાફોન આઈડિયાએ તેની અલગ અરજીમાં 83,400 કરોડ રૂપિયાની AGR ની ચુકવણી કરવાની વાત કરી છે. 12,797 કરોડ રૂપિયાની મૂળ ચુકવણી, 28,294 કરોડ રૂપિયાનું વ્યાજ, 6,012 કરોડનો દંડ તેમજ 11,151 કરોડ રૂપિયા દંડનું વ્યાજ છે. કંપનીને ચેતવણી આપી છે કે રાહત આપવામાં નહી આવે તો તેમનું અસ્તિત્વ જોખમમાં છે, જેનાથી લગભગ 20 કરોડ ગ્રાહકોને અસર થઈ શકે છે. કંપનીએ વધુમાં કહ્યું કે સરકાર તેમની ચુકવણીનો એક હિસ્સો (લગભગ 39,000 કરોડ રૂપિયા) ઇક્વિટીમાં બદલી અપાયો છે, તેમ છતાં હજી પણ સ્પેક્ટ્રમ અને AGR ના અંદાજિત 1.19 લાખ કરોડ રૂપિયા ચુકવવાના છે.

Related Posts

Leave a Comment