બેંક ડીપોઝિટમાં નોમિનીનો ઈ-મેઈલ અને ફોન નંબર જોડવા જોઈએ?

by Investing A2Z

નવી દિલ્હી- બેંકોમાં અનક્લેમ્ડ ડીપોઝિટોની સમસ્યા વધતી જઈ રહી છે. (Problem of unclaimed deposits in banks) બેંકોમાં હજારો કરોડો રૂપિયા પડ્યા છે, જેનો કોઈ દાવેદાર નથી. આ સમસ્યાથી બચવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India – RBI) કેટલાક સૂચનો મંગાવ્યા છે. (Bank Deposit)

જાણવા મળ્યા મુજબ બેંક ડીપોઝિટરોના (Bank Depositors) હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકો પાસેથી હાલના બેંક નોમિનેશન ફોર્મમાં (Nomination Form) નોમિનીનો ઈમેલ અને ફોન નંબર (Nominee’s Email and Phone Number) ઉમેરવા માટે સૂચનો માંગ્યા છે. બેંકિંગ કાયદા (સુધારા) બિલ 2024 (Banking Laws (Amendment) Bill 2024) પસાર થયા પછી, બેંક ખાતાધારકો હવે ચાર નોમિની રાખી શકે છે. આ અંગે સૂચનો ગયા મહિને માંગવામાં આવ્યા હતા. આ મામલે સરકારનો અભિપ્રાય લેવામાં આવશે. આ માટે બેંકિંગ કંપનીઓ (નોમિનેશન) નિયમો, 1985 હેઠળ નિર્ધારિત નોમિનેશન ફોર્મેટને અપડેટ કરવાની જરૂર પડશે.

નોમિનીનો મેઈલ આઈડી અને ફોન નંબર હશે તો ખાસ કરીને બેંકોમાં દાવા વગરની થાપણોમાં ઘટાડો થશે. જો ખાતાધારકનું સરનામું અથવા સંપર્ક બદલાઈ ગયો હોય તો આ દાવેદારો અથવા તેમના નોમિનીઓને શોધવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે ડિપોઝિટ, સેફ ડિપોઝિટ લોકર અને સેફ કસ્ટડી વસ્તુઓ માટેના હાલના નોમિનેશન ફોર્મમાં નોમિનીનો મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઈડીની જોગવાઈ નથી.

Gujarat Top News

સોલાર રૂફટૉપ પૅનલ્સ લગાવવામાં ગુજરાત નંબર વન, વીજળીની કેટલી બચત થઈ?

તાજેતરમાં સરકારે બેંકિંગ બિલમાં સુધારો કર્યો છે. નોમિનેશન ફોર્મમાં નોમિની વ્યક્તિની સંપર્ક વિગતો અપડેટ કરવાથી ખાતરી થશે કે આવા બધા વ્યક્તિઓને જાણ કરવામાં આવે અને તેઓ તેમના બાકી લેણાં મેળવી શકે. માર્ચમાં સંસદે બેંકિંગ કાયદા (સુધારા) બિલ 2024 પસાર કર્યું, તેણે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમમાં ફેરફાર કરીને ચાર નોમિની રાખવા સુધીની મંજૂરી આપી છે.

બેંક ડીપોઝિટરો અને તેમના કાનૂની વારસદારોને વધુ સુગમતા અને સુવિધા પૂરી પાડે છે. ખાસ કરીને ડીપોઝિટ, સેફ કસ્ટડીમાં રાખેલી વસ્તુઓ અને સેફટી લોકરના સંદર્ભમાં બેંકિંગ કંપનીઓ (નોમિનેશન) નિયમો 1985 બેંકોને વારસાઈ પ્રમાણપત્ર માંગ્યા વિના અથવા કાનૂની વારસદારોના દાવાઓની ચકાસણી કર્યા વિના થાપણદારના મૃત્યુના કિસ્સામાં નોમિનીને બાકી રકમ ચૂકવવાની મંજૂરી આપે છે.

નોમિની વિગતો એકત્રિત કરવામાં સંમતિની સમસ્યા હોઈ શકે છે. જો નોમિની આ બાબતમાં સહજ ન હોય અને બેંક સંમતિ વિના તેનો સંપર્ક કરી શકે તો શું? તેમણે વધુમાં ઉમેર્યું કે આ માટે વધુ વિચાર-વિમર્શની જરૂર પડી શકે છે, જેમાં Know Your Customer (KYC) ફોર્મેટમાં ફેરફારનો સમાવેશ થાય છે. જોકે, બેંક ખાતામાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી પડેલી રહેલી ડીપોઝિટો RBI ના DEA ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Related Posts

Leave a Comment