મુંબઈ- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) વ્યાજ દર (Interest Rate) ઘટાડવાનું શરૂ કર્યું છે. તેની સીધી અસર બેંકોની ફિક્સ ડિપોઝીટ યોજનાઓના (Bank Fixed Deposit) વ્યાજ દર પર પડી છે. રેપો રેટ (Repo Rate) ઘટવાની સાથે બેંક હોમ (Home Loan) સહિત બીજી લોનના વ્યાજ દરમાં (Loan Interest Rate) ઘટાડો કરે છે. સાથે ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં પણ ઘટાડો કરે છે. અત્યારે હાલ આવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સંજોગોમાં રોકાણકારો મુંઝાયા છે. તેમને સમજ નથી પડતી કે તેમણે બેંકમાં એફડીમાં રોકાણ કરવું કે સ્મોલ સેવિંગ્સ યોજનામાં (Small Savings Scheme) રોકાણ કરવું જોઈએ. (Investment)
લાંબા સમય માટે જોખમ નહી લેનાર રોકાણકારો માટે બેંક એફડી (Bank FD) પહેલી પસંદ રહી છે. એફડીની ખાસ વાત એ છે કે તેમાં પહેલેથી નક્કી હોય છે તે પ્રમાણે રિટર્ન મળે છે. જરૂરિયાત ઉભી થાય ત્યારે મેચ્યોરિટીની પહેલા રૂપિયા ઉપાડી શકાય છે. જેને રોકાણની દ્રષ્ટિ સારુ ઓપ્શન મનાય છે.
TOP NEWS
Good News: એપ્રિલમાં મોંઘવારીનો દર વધુ ઘટ્યો, છ વર્ષના નીચા સ્તરે
બીજી તરફ સ્મોલ સેવિંગ્સ યોજના (Small Savings Scheme) પર સરકારની ગેરંટી હોય છે. પીપીએફ(PPF), એનએસસી(NSC), સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme) અને પોસ્ટ ઓફિસની મંથલી ઈનકમ સ્કીમ (Post Office) કે જેમાં ટેક્સ બાદ મળતી હોય તેવું રિટર્ન આકર્ષક હોય છે.
બેંક એફડીના વ્યાજ દર બેંકોના હિસાબે અલગઅલગ હોય છે. અત્યારે બેંક તેની એફડી પર 6.5 ટકાથી 7.5 સુધીના વ્યાજની ઓફર કરે છે. અત્રે એ નોંધવું જોઈએ કે બેંક એફડી પર મળનાર વ્યાજ ટેક્સેબલ હોય છે. તેના પર કરદાતાએ સ્લેબ પ્રમાણે ટેક્સ આપવાનો હોય છે. મોટા સ્લેબમાં આવતાં હોય તેવા કરદાતાને બેંક એફડીમાં ઓછુ વળતર મળે છે. જેને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો કોઈ વ્યક્તિ 30 ટકાના સ્લેબમાં આવતો હોય તો 7.5 ટકા વ્યાજવાળી એફડી પર ટેક્સ ચુકવ્યા પછી તેને ફકત 2.5 ટકા જ રિટર્ન મળે છે.
સ્મોલ સેવિંગ્સ યોજનામાં વ્યાજ દરની જાહેરાત સરકાર દર ત્રણ મહિને કરે છે. સામાન્ય રીતે લાંબા સમય સુધી વ્યાજ દરમાં ફેરફાર કરાતો નથી. હાલમાં PPF પર વાર્ષિક 7.1 ટકાનું ટેક્સ રિટર્ન મળે છે. જેમાં રોકાણ પર 80સી (80C) અનુસાર ટેક્સ ડિડક્શન પણ મળે છે. સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં (Senior Citizen Savings Scheme) વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. જેમાં વ્યાજની રકમ દર ત્રણ મહિને મળે છે. NSC માં વ્યાજ દર 7.7 ટકા છે, જેમાં દર વર્ષે વ્યાજ એક્યુમુલેટ(ભેગુ) થાય છે. મેચ્યોરિટી વખતે મુળ મુદ્દલ અને વ્યાજની રકમ સાથે મળે છે.
TOP Tranding Video News
સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બન્નેમાં બહુ ઝાઝો ફરક નથી. પણ સ્મોલ સેવિંગ્સ યોજના પર સરકાર તરફથી રોકાણની રકમની ગેરંટી મળતી હોય છે. બીજી તરફ બેંકોમાં જમા રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ સિક્યોર હોય છે. DICGC ની ગાઈડલાઈન્સ અનુસાર બેંક દેવાળું ફૂંકે તો ગ્રાહકોને બેંક તરફથી રૂપિયા પાંચ લાખની ભરપાઈ કરવાની રહે છે. જો ગ્રાહકના દસ લાખ રૂપિયાની એફડી હોય તો પણ બેંક દેવાળું ફૂંકે તો તેને ગાઈડલાઈન્સ અનુસાર પાંચ લાખની રકમ મળે છે.