India Pakistan War: ભારતમાં વિદેશી રોકાણ કેમ આવ્યું?

by Investing A2Z

મુંબઈ– ભારત પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી (India Pakistan Tension) હતી, તેની વચ્ચે ભારતીય શેરબજાર (Stock Market of India) પર વિદેશી પોર્ટફોલીયો રોકાણકારો (FPI Inflow) નો વિશ્વાસ યથાવત રહ્યો છે. અને ભારતમાં મે મહિનામાં અત્યાર સુધીમાં 14,167 કરોડનું રોકાણ આવ્યું છે.

ભારત પાકિસ્તાનની વચ્ચે પહેલગામ આતંકી હૂમલા (Pahalgam Terror Attack) પછી યુદ્ધ છેડાઈ ચુક્યું હતું. બન્ને દેશો બન્ને બાજુથી ડ્રોન અને મિસાઈલ હૂમલા શરૂ કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ (India Pakistan War) ચરમસીમાં પર પહોંચી ગયું હતું. તેમ છતાં ભારતીય શેરબજાર (Share Market of India) પર વિદેશી રોકાણકારોનો (Foreign Institutional Investors) ભરોસો યથાવત જ રહ્યો છે. એફપીઆઈના રોકાણાના આંકડા બોલી રહ્યા છે કે મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલીયો રોકાણકારો દ્વારા ભારતના શેરબજારમાં ઈક્વિટીમાં કુલ 14,000 કરોડ કરતાં વધુ રકમનું રોકાણ આવ્યું છે.

આ સતત બીજો મહિનો છે કે જ્યાં વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય શેરબજારમાં રોકાણ કરવા આવ્યા છે. અને તે પણ જંગી રકમનું રોકાણ કર્યું છે. ડિપોઝટરીના આંકડાઓ જોઈએ તો મે મહિનામાં અત્યાર સુધી એટલે કે 11 દિવસમાં એફપીઆઈએ રૂપિયા 14,167 કરોડનું રોકાણ કર્યું છે. અને તે પણ એવા સમય રોકાણ કર્યું છે કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું.

અત્રે નોંધનીય છે કે વિદેશી રોકાણકારો છ મહિના પછી ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે પાછા ફર્યા છે. એપ્રિલ મહિનામાં 15 એપ્રિલથી વિદેશી રોકાણકારો બાયર (FII Net Buyer)  થયા હતા. એપ્રિલમાં એફપીઆઈએ શેરબજારમાં કુલ રૂપિયા 4,223 કરોડનું રોકાણ કર્યું હતું. અને મે મહિનામાં પણ તેમની ખરીદી ચાલુ રહી હતી.

15 એપ્રિલથી વિદેશી રોકાણકારો (FII) એ ખરીદી શરૂ કરી ત્યાર પછી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) ઉછળીને 81,000 અને નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) ઉછળીને 24,500ની સપાટીને પાર કરી ગયા હતા. અને સારી તેજી જોવા મળી હતી.

હવે સવાલ એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું વાતાવરણ હોય અને વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા શા માટે આવ્યા? નિષ્ણાતોના મતે અમેરિકાના ડોલરની નરમાઈ, અમેરિકા અને ચીનની ઈકોનોમીમાં નબળાઈ. તેની સામે ભારતનો જીડીપી ગ્રોથ સતત વધતો જઈ રહ્યો છે. મોંઘવારી કાબુમાં રહી છે. તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં બે વખત ઘટાડો કર્યો છે. ડૉલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. (Dollar Rupee ) તેમજ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આર્થિક અસ્થિરતાભર્યા વિવાદોથી ભરેલા નિર્ણયો લીધા, જેમ કે રેસિપ્રોક્લ ટેરિફ અને વીઝા નીતિ જેવા અનેક આદેશને કારણે અમેરિકાની પ્રજાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને અમેરિકાની ઈકોનોમી હાલકડોલક થવા લાગી છે. ટેરિફને કારણે મોંઘવારી વધવાનો અને બેરોજગારી વધવાનો ડર સતાવી રહ્યો છે. આવા બધા કારણોને લીધે ભારતીય શેરબજાર રોકાણ માટે વધુ આકર્ષક બન્યું છે.

Related Posts

Leave a Comment