ભારત પાકિસ્તાન યુદ્ધઃ ભારતીય શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું

by Investing A2Z

અમદાવાદ- ભારત પાકિસ્તાન ( India Pakistan War ) વચ્ચે યુદ્ધ છેડાઈ ચુક્યું છે. ઓપરેશન સિંદૂર ( Operation Sindoor ) પછી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કર્યું હતું, ત્યાર પછી ભારતની ત્રણેય સેનાએ પાકિસ્તાન પર જોરદાર હૂમલો કર્યો હતો. પાકિસ્તાનના 12 મોટા શેહરોમાં હૂમલો કર્યો હતો. કરાંચી બંદરને ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન યુદ્ધના સમાચાર પછી આજે શુક્રવારે ભારતીય શેરબજાર ( Stock Market India ) ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યું છે.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ( BSE Sensex ) ગઈકાલ ગુરુવારના બંધ 80,334ની સામે આજે શુક્રવારે 78,968.34ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. જે 1366 પોઈન્ટના ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. ત્યાર બાદ રીકવરી આવતાં સુધર્યો હતો. અને સવારે 9.35 કલાકે સેન્સેક્સ 694 પોઈન્ટ માઈનસમાં 79,678 પર ટ્રેડ કરી રહ્યો છે.

એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ( NSE Nifty Index ) ગુરુવારે 24,273ના મથાળે બંધ હતા. આજે શુક્રવારે માર્કેટ ખુલતાની સાથે નિફ્ટી 23,935ની નીચા લેવલ પર ખુલ્યો હતો. જે 338 પોઈન્ટનું ગાબડુ દર્શાવે છે. જો કે ત્યાર બાદ સુધારો આવ્યો હતો. શુક્રવાર સવારે 9.39 કલાકે નિફ્ટી 190 પોઈન્ટ માઈનસ 24,100 પર ટ્રેડ કરી પર રહ્યો હતો.

બેંક નિફ્ટી ( Bank Nifty ) ગુરુવારે 54,365 બંધ હતો. જે શુક્રવારે સવારે 53,595ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો, જે 770 પોઈન્ટના કડાકો દર્શાવે છે. ત્યાર બાદ માર્કેટમાં નીચા મથાળે નવું બાઈંગ આવતાં સુધારો આવ્યો હતો. અને બેંક નિફ્ટી સવારે 9.43 કલાકે 534 પોઈન્ટ માઈનસમાં 53,821 પર ટ્રેડ કરી રહ્યો છે.

ભારતીય શેરબજાર નીચા મથાળે ગેપમાં ખુલતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 3 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. એટલે કે રોકાણકારોની મૂડીનું 3 લાખ કરોડ કરતાં વધુનું ધોવાણ થયું છે.

સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર 3 સ્ટોક જ પ્લસમાં હતા. ટાઈટન, એલ એન્ડ ટી અને તાતા મોટર ગ્રીન ઝોનમાં હતા. બાકીના તમામ 27 શેરમાં ભારે વેચવાલીથી તૂટ્યા હતા.

ગઈકાલ ગુરુવારે એફઆઈઆઈએ 2007 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તેની સામે સ્થાનિક નાણાં સંસ્થાઓએ 596 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.

સવારે 9.49 કલાકે કુલ લિસ્ટેડ શેરોમાંથી 369 શેરના ભાવ વધ્યા હતા અને 2004 શેરના ભાવ ઘટ્યા હતા. એટલે કે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો.

Related Posts

Leave a Comment