NPS Vatsalya Scheme: દર મહિને 1000 રૂપિયા જમા કરો તો તમારા બાળકને કેટલું પેન્શન મળશે?

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હમણાં જ એનપીએસ વાત્સલ્ય યોજના (NPS Vatsalya Scheme) શરૂ કરાવી છે. આ યોજના સેવિંગની સાથે રિટાયરમેન્ટ પ્લાન છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારા બાળક માટે મોટુ ફંડ જમા કરી શકો છો અને તમારા બાળકને પેન્શન મળશે. આ યોજનામાં કેવી રીતે રોકાણ કરવું, કેટલા રૂપિયાનું રોકાણ કરવું, કેટલા ટકા વ્યાજ છૂટે છે અને બાળકને કેટલું પેન્શન મળે. આ તમામ સવાલના જવાબ આપણે આ વીડિયોમાં મેળવીશું અને વિગતવાર એનપીએસ વાત્સલ્ય યોજનાના કેલ્યુકેલ્ટરને સમજીશું…

એનપીએસ વાત્સલ્ય યોજના (NPS Vatsalya Scheme) ની જાહેરાત જનરલ બજેટમાં થઈ હતી. એટલે કે આ યોજના બિલકુલ નવી છે.  અને આ યોજના બાળકો માટે બનાવવામાં આવી છે. આ યોજના અંતગર્ત પેરન્ટ્સ, બાળકો માટે દર વર્ષે રોકાણ કરે તો તેનો લાભ તેના બાળકોને 18 વર્ષ પછી મળશે. આ સેવિંગ્સની સાથે રિટાયરમેન્ટ યોજના છે. આ યોજનામાં તમારા બાળકને તેના રિટાયરમેન્ટની ઉંમરે પેન્શનનો લાભ મળવો શરૂ થશે.

એનપીએસ વાત્સલ્ય યોજનામાં વધુમાં વધુ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. પણ વાર્ષિક ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે. આ યોજનામાં આંશિક રીતે ઉપાડની સુવિધા મળે છે. તેના ઉપરાંત પેન્શનનો લાભ મળશે.

આપને ખાસ જણાવવાનું કે આ યોજના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ યોજનામાં માતા-પિતા રોકાણ કરી શકે છે. પણ જ્યારે બાળક 18 વર્ષનું થઈ જાય પછી માતા પિતા આ યોજનામાંથી બહાર નીકળી જાય છે અને એનપીએસ વાત્સલ્ય યોજનાનું ફંડ એનપીએસ ટીયર-1માં પરિવર્તિત થશે.

એનપીએસ વાત્સલ્ય ફંડ બાળકના 18 વર્ષ થયા પછી મેચ્યોર થઈ જાય છે. જો યોજનાને ચાલુ રાખવી હોય તો બાળકનું કેવાયસી કરીને ચાલુ રાખી શકાય છે. જે બાળકના કેવાયસી પછી સામાન્ય એનપીએસ યોજનાની જેમ કામ કરશે. જો 18 વર્ષ પછી ફંડ પુરેપુરું ઉપાડી લેવું હોય તો તેના નિયમ અલગ છે.

જો ફંડમાં 2.5 લાખ રૂપિયાથી ઓછી રકમ હોય તો પુરી રકમ ઉપાડી શકવાની મંજૂરી મળે છે. 2.5 લાખથી વધારે રકમ હોય તો રોકાણકાર માત્ર 20 ટકા રકમ જ ઉપાડી શકે છે. બાકીની 80 ટકા રકમની એન્યુટી ખરીદી શકાય છે, જે દર મહિને બાળકને પેન્શનના સ્વરૂપે મળશે.

એનપીએસ વાત્સલ્ય યોજનામાં રોકાણ અને વ્યાજનું કેલ્યુકેશન કેવી રીતે થાય છે, તે સવાલ થાય તે સ્વભાવિક છે….

જો તમે તમારા બાળક માટે વાર્ષિક રૂપિયા એક હજારનું રોકાણ કરો છો તો દર વર્ષે આપને 10 ટકા જેટલું વ્યાજનું રિટર્ન મળે છે. ધારો કે આપે દર મહિને એક હજારનું રોકાણ કર્યું, તો બાર મહિનામાં 12 હજારનું રોકાણ થાય. આમ 18 વર્ષ સુધી આપે 2.16 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તે બચત કરેલી રકમ પર અંદાજે 3,89,568 રૂપિયા વ્યાજ જમા આવશે. એટલે કે બાળક 18 વર્ષ પુરા કરે ત્યારે તે બચત અને વ્યાજ સહિત કુલ 6,05,568 રૂપિયાનું ફંડ જમા થયેલું હોય છે.

જો તમારુ બાળક 18 વર્ષ પુરા કર્યા પછી આ ફંડને ચાલુ રાખે તો તે બાળકની ઉંમર 60 વર્ષની થાય ત્યારે તેના ખાતામાં 3 કરોડ 83 લાખનું ફંડ જમા થયેલું હશે. 60 વર્ષ પછી એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટની રકમમાંથી તે એન્યૂટી પ્લાન ખરીદી લે તો તેના પર 5થી 6 ટકા વ્યાજ મળે છે. અને 60 વર્ષ પછી રોકાણકારોને અંદાજે 19થી 22 લાખ રૂપિયાનું વાર્ષિક વ્યાજ મળે છે. તેમજ પેન્શનની વાત કરીએ તો દર મહિને અંદાજે 1.50 લાખ રૂપિયાનું પેન્શન મળી શકે છે.

જોયું… ખૂબ નાનું રોકાણ અને આપનો સંકલ્પ મક્કમ બન્યો ત્યારે આપ આટલી જંગી રકમ જમા કરી શક્યા. અને તે પણ તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત કરી શક્યા. તમારા માટે તમે પ્લાનિંગ નથી કરી શકયા તો કાંઈ નહી, પણ તમારા બાળક માટે એનપીએસ વાત્સલ્ય યોજનામાં રોકાણ કરીને આપના બાળકનું રિટાયરમેન્ટ પછી આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકો છો.

ઓલ ધી બેસ્ટ…

Related Posts

Leave a Comment