વિશ્વ હિન્દી પરિષદ આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં ગુજરાત છવાયું

by Investing A2Z

આર્કિટેક્ટ અને વાસ્તુ વૈજ્ઞાાનિક મયંક રાવલને શ્રેષ્ઠ વિભૂતિનું આંતરરાષ્ટ્રીય સન્માન

વિશ્વ હિન્દી પરિષદના આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં ગુજરાત પ્રદેશ છવાયું હતું. આ સમ્મેલનમાં ગુજરાતના ખૂબ જાણીતા આર્કિટેકટ અને વાસ્તુ વૈજ્ઞાનિક મંયકભાઈ રાવલને શ્રેષ્ઠ વિભૂતિનું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું હતું અને તેમને અનેક એવૉર્ડ પ્રાપ્ત થયા  હતા. જે ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવા સમાચાર છે.

રાષ્ટ્ર કવિ રામ ધારી સિંગ દિનકરની 115મી જયંતિ પર નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બે દિવસીય સંમેલન યોજાયું હતું. જેમાં ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્ર, મણિપુરના રાજ્યપાલ અનસૂયા ઉલ્કે, પ્રધાન પ્રહલાદ સિંગ પટેલ, સ્વામી ચિદાનંદ સરસ્વતી, સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યજી, સુધીર ચૌધરી, વિવિધ દેશોના રાજદૂત વિગેરે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, જાણીતા આર્કિટેક્ટ અને વાસ્તુ વૈજ્ઞાાનિક મયંક કુમાર ડોલરરાય રાવલને શ્રેષ્ઠ વિભૂતિનું આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું.

સાહિત્ય, સંગીત, કલા, આર્કિટેક્ચર અને વાસ્તુ શાસ્ત્રમાં મંયકભાઈ રાવલના પ્રદાન માટે ત્રણ આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા હતા. શ્રેષ્ઠ અધ્યક્ષની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સરાહના પણ એમને મળી. આંતરરાષ્ટ્રીય કવિ સંમેલનમાં સમગ્ર વિશ્વમાંથી માત્ર 16 કવિની પસંદગી થઈ હતી. જેમાં અમુક પદ્મશ્રી સન્માનિત પણ હતાં, એમાં મયંક રાવલની કવિતા ‘સંગીત’ ને ખૂબ સરાહના મળી હતી.

આ ઉપરાંત 23 વિવિધ અભિજ્ઞાન પણ ગુજરાત પ્રદેશને પ્રાપ્ત થયા હતા. ગુજરાતના ડો. પૂરવા શર્માનું સંશોધન પત્ર શ્રેષ્ઠ સંશોધન માટે પસંદગી પામ્યું હતું. લગભગ 18 દેશના પ્રતિનિધિઓની હાજરીમાં વિશ્વ હિન્દી પરિષદ – ગુજરાત પ્રદેશની હાજરી સતત દેખાતી રહી હતી. ગુજરાત પ્રદેશ શ્રેષ્ઠતમ દેખાવ સાથે અગ્રેસર રહ્યો હતો. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મયંક રાવલ ઉપરાંત કૃષ્ણ પડીયા, પાર્થ જોશી, સેજલ રાવલ, દિપક અંતાણી, કવિશ રાવલ, રાખી સિંગ કટિયાર, વિશ્વા રાવલ, સોનલ શાહ, રીટા ભગત, નિમિશા પંચાલ, સોનું વૈદ્ય, સીમા પંડયા, મયુર વૈદ્ય, જીગ્નેશ પંડયા, નીનાદ પટેલ, મીતેશ મિસ્ત્રી, ડૉ મનીષા મહેતા, ડૉ પૂરવા શર્મા, નિશી ભટ્ટ વિગેરે એ સમ્મેલનમાં રજિસ્ટ્રેશન કરાવી ગુજરાત પ્રદેશને અગ્રેસર રાખવા સહયોગ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેક વિભૂતિઓની હાજરીમાં ગુજરાત પ્રદેશ સતત છવાયેલું રહ્યું હતું. જે ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે. જે રાજ્યની માતૃભાષા ગુજરાતી છે તે રાષ્ટ્રભાષા હિન્દી માટે સહુથી સક્રિય છે એ બાબતની સરાહના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય ભારદ્વાજ તેમજ મહામંત્રી વિપિન જી એ કરી. ગુજરાત પ્રદેશ દ્વારા હિન્દી સપ્તાહ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રચિત કાવ્યનું પઠન, પૂર રાહત, હિન્દીના પ્રસાર માટે પ્રતિજ્ઞા, જેવા વિવિધ કાર્યક્રમોને રાષ્ટ્રીય સ્તર પર સરાહના મળી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી શકુંતલા સરુપરીયા એ કર્યું હતું.

Related Posts

Leave a Comment