જી20 સમિટમાં પ્રથમ દિવસે ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ

by Investing A2Z

નિવારે 9 સપ્ટેમ્બર, 2023ના રોજ જી20 શિખર સમ્મેલનમાં આમ સહમતિ સંઘાઈ ગઈ છે અને નવી દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર કરી લીધો છે. ભારતની આ સૌથી મોટી ઉપલબ્ધિને અનેક નેતાઓ અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. જેને આ ઐતિહાસિક દસ્તાવેજ કહીને ઘોષણાપત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારવાળા માનવ કેન્દ્રીકરણ પર ભાર આપ્યો છે.

જી20માં રજૂ થયેલ ઘોષણાપત્ર 37 પાનાનું છે અને તેમાં કુલ 83 પેરેગ્રાફ છે. તેને નવી દિલ્હી ડિક્લેરેશન કહેવાયું છે. આ ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધનો ચાર વાર ઉલ્લેખ કરાયો છે. ઘોષણાપત્રનો સ્વીકાર કરાયો છે, તેની સત્તાવાર જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે બપોરે કરી હતી. તે પછી તુરંત જ પ્રતિભાવ આવવાના શરૂ થઈ ગયા હતા.

પ્રતિષ્ઠિત સમુહના સભ્યોનો આભાર વ્યક્ત કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પર પોસ્ટ કર્યું છે.  આજે જી20 શિખર સમ્મેલનમાં નવી દિલ્હી ઘોષણાપત્રનો સત્તાવાર રીતે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનવ કેન્દ્રીકરણ અને ગ્લોબલ સાઉથને લઈને આપણી ચિંતાઓના અવાજ અને માન્યતાઓ મળી છે. તમામ જી20ના સભ્યોના સહયોગ અને સમર્થન માટે આભાર.

નાણાપ્રધાન સીતારમણે કહ્યું હતું કે ભારતની જી20 અધ્યક્ષતાએ એવું સમાધાન તૈયાર કર્યું છે, કે જેનાથી તમામ સભ્યોના વિચારો સાથે મેળ ખાય છે. અને તમામ સભ્યો માટે એકસરખો રસ્તો રજૂ કર્યો છે. ખૂબ જ સારો અને અધિક પ્રભાવી બહુપક્ષીય વિકાસ બેંકો માટે જી20 સમજૂતિ થઈ છે. જી20નું માનવું છે કે મહામારી પછીની વિશ્વ વ્યવસ્થા તેની પહેલાની વિશ્વ વ્યવસ્થા અલગ હોવી જોઈએ. નેતાઓએ બહુપક્ષવાદને ફરીથી મજબૂત કરવા પર ભાર મુક્યો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે અમે ભૂ રાજનીતિક તંગદિલીના પડકારજનક સમયમાં અધ્યક્ષતા ગ્રહણ કરી છે. આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતીય જી20ની અધ્યક્ષતાએ વાતને આગળ વધારી છે. ભારતના જી20 અધ્યક્ષે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય વિષય પર કામ કર્યું છે. અમારા મનમાં એ સ્પષ્ટ છે કે વૈશ્વિક સમાધાનોએ અમારી શોધમાં કોઈએ પણ પાછળ રહેવું ન જોઈએ.

વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે જી20 ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજિટલ સાર્વજનિક બુનિયાદી ઢાંચા પર ધ્યાન આપવાની સાથે પ્રૌદ્યોગિકની સમાવેશી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. જી20એ ભારતને વિશ્વ માટે તૈયાર કરવા અને વિશ્વને ભારત માટે તૈયાર કરવા યોગદાન આપ્યું છે. અમારા માટે સંતોષની વાત એ છે કે આફ્રિકન યુનિયનને આજે ભારતની અધ્યક્ષતામાં જી20નું કાયમી સભ્યપદ પ્રાપ્ત થયું છે.

ભારતના જી20 સમિટમાં રજૂ થયેલ ઘોષણાપત્રને અમિતાભ કાંતે ઐતિહાસિક અને પથપ્રદર્શક કરાર રજૂ કર્યો છે. અને કહ્યું છે કે તમામ વિકાસાત્મક અને ભૂ રાજનીતિક મુદ્દા પર 100 ટકા સહમતિ હતી. રશિયા યુક્રેન સંઘર્ષની પૃષ્ઠભૂમિને જોતા ભૂ રાજનીતિકનો સંદર્ભ વિશેષરૂપથી મહત્વપૂર્ણ છે. નવી ભૂ રાજનીતિક અનુચ્છેદ આજની દુનિયામાં ગ્રહ, લોકો, શાતિ અને સમૃદ્ધિ માટે શક્તિશાળી આહ્વાન છે. આજની દુનિયામાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વને પ્રદર્શિત કરે છે.

અમિતાભ કાંતે વધુમા ઉમેર્યું હતું કે રશિયા યુક્રેન મુદ્દા પર વિકાસશીલ દેશો અને ઉભરતી અર્થવ્યવસ્થાઓએ સહમતિ બનાવવામાં અતિમહત્વની ભૂમિકા ભજવી છે. ભારતે ઈન્ડોનેશિયા, બ્રાઝિલ. દક્ષિણ આફ્રિકાની સાથે મળીને આ કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને અધિકારીઓની અથાગ મહેનતથી આ સંભવ થયું છે.

Related Posts

Leave a Comment