નવા વર્ષ 2022થી બદલાઈ જશે આ નિયમ

by Investing A2Z

2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. બસ થોડાક જ દિવસો પછી નવા વર્ષ 2022નો પ્રારંભ થશે. આવી રહેલ નવું વર્ષ તેની સાથે કેટલાય ફેરફારો લઈને આવી રહ્યું છે. આ ફેરફારમાં કેટલાક નાણાંકીય મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. આગામી મહિને એટલે કે નવા વર્ષના 1 જાન્યુઆરી, 2022થી આપના જીવન સાથે જોડાયેલ કેટલાક નિયમોમાં ફેરફાર આવી જશે. આ નિયમોમાં બેંકમાંથી પૈસા કાઢવાથી લઈને જમા કરવા સુધી, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ નિયમો સામેલ છે. આવો જાણીએ શું ફેરફાર થવાનો છે.

ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ

પહેલી જાન્યુઆરી, 2022થી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી થનારી ચુકવણીની પ્રક્રિયામાં ફેરફાર આવી જશે. ઓનલાઈન પેમેન્ટ અને તેને વધુ સુરક્ષિત બનાવવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ઓનલાઈન પેમેન્ટ કરતાં સમયે આપે 16 અંકવાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર સહિત કાર્ડની પુરી જાણકારી આપવી પડશે. એટલે હવે ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ દરમિયાન મર્ચન્ટ વેબસાઈટ અથવા એપ તમારા કાર્ડની વિગતોને સ્ટોરી નહી કરી શકે. સાથે પહેલથી સેવની જાણકારી હશે, તેને પણ હટાવી દેવાશે.

એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે

નવા વર્ષથી ગ્રાહતોને ફ્રી એટીએમ ટ્રાન્ઝક્શનની લિમિટ પાર કરવા પર વધુ રકમની ચુકવણી કરવી પડશે. જૂનમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને પહેલી જાન્યુઆરી, 2022થી એટીએમથી મફત પૈસા ઉપડાવાની એક લિમિટ પછી ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. દરેક બેંક દર મહિને રોકડ અને બિનરોકડ મફતમાં કેટલાક ટ્રાન્ઝક્શન કરવાની મંજૂરી આપતાં હતા. હવે 1 જાન્યુઆરી, 2022થી મફત ટ્રાન્ઝક્શનની મર્યાદા વટાવી દીધા પછી તમારે કેટલોક ચાર્જ આપવો પડશે. આરબીઆના નવા દિશાનિર્દેશો અનુસાર એક્સિસ બેંક અથવા અન્ય બેંક એટીએમની મફત મર્યાદા પર નાણાકીય ટ્રાન્ઝક્શન કરવા પર 21 રૂપિયા અને જીએસટી આપવો પડશે.

પોસ્ટ પેમેન્ટ બેંક

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતાધારકોને એક લિમિટમાં રોકડ રકમ ઉપાડવા અને ડીપોઝિટ કરવા પર ચાર્જ આપવો પડશે. આ નિયમ હવે 1 જાન્યુઆરી, 2022થી લાગુ થઈ થઈ જશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ત્રણ પ્રકારના બચત ખાતું ખોલી શકાય છે. ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક અનુસાર બેસિક સેવિગ્સ એકાઉન્ટ દર મહિને ચાર વખત રોકડ ઉપાડવી ફ્રી છે. પણ હવે તેની પછી ગ્રાહકો દરેક ઉપાડ પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. બેસિક સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જમા કરવા પર કોઈ ચાર્જિસ લાગશે નહી.

Related Posts

Leave a Comment