ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે?

by Investing A2Z

ક્રિપ્ટોકરન્સી ( Cryptocurrency ) ને લઈને ભારતમાં ચર્ચા ઝડપી બની છે, કારણ કે ભારત સરકાર એક બિલ લાવી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં ‘ધી ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021’ લાવી રહી હાવોની વાતો થઈ રહી છે.

બિલમાં સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી બનાવવાની વાત કહી છે, જે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જાહેર કરશે. બિલ અનુસાર ભારતમાં કેટલીક કરન્સીને છોડીને તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી દેવાશે. આ વખતે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

ક્રિપ્ટોકરન્સીમાં પૈસાનું રોકાણ કરવા માટેના ટ્રેન્ડ વીતેલા કેટલાય સમયથી ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. તમને પણ એવા કેટલાક લોકો મળી જશે કે જેમણે ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવ્યા હશે. તેને લઈને સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. પણ ઈન્ડસ્ટ્રીઝ અનુસાર ભારતમાં 1.5થી 2 કરોડ ક્રિપ્ટોકરન્સી રોકાણકાર છે, આ બધાનું મળીને કુલ ક્રિપ્ટો હોલ્ડિંગ લગભગ 400 અબજ રૂપિયા હશે.

ભારત સરકાર સતત આ રોકાણ પર નજર રાખીને બેઠું છે. વીતેલા સપ્તાહે સિડની સંવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વાતનું બધા દેશોએ ધ્યાન રાખવું જોઈએ કે ક્રિપ્ટો ખોટા હાથમાં ના જાય, તેનાથી યુવાનોમાં ખોટી અસર પડશે.

તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ક્રિપ્ટોકરન્સીને લઈને એક મહત્વની બેઠક થઈ ગઈ હતી. આ બેઠકમાં ક્રિપ્ટો માર્કેટના રેગ્યુલેશન અને તેની સાથે જોડાયેલ અનેક ચીજવસ્તુ પર ચર્ચા કરાઈ હતી. તેના પર પ્રતિબંધના સમાચાર આવતાંની સાથે જ ક્રિપ્ટોકરન્સીની કિમત ઘટી ગઈ હતી.

ભારતમાં જો બિલ લાવીને સરકાર તેના પર પ્રતિબંધ મુકશે તો ક્રિપ્ટો એક્સચેન્જ સાથે ટ્રાન્ઝક્શન બંધ થઈ જશે. તમે લોકલ કરન્સીને ક્રિપ્ટો ખરીદવામાં ઉપયોગ કરી શકતા નથી. તે ઉપરાંત આપ તેને એનકેશ પણ નથી કરી શકતા. પ્રતિબંધ મુકાયા પછી તેમાં જેણે રોકાણ કર્યું છે, તેનું શું થશે? તે એક મોટો સવાલ છે. જો કે તેનો જવાબ બિલ પાસ થયા પછી મળશે.

હાલ ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર કોઈ રેગ્યુલેશન અથવા તો પ્રતિબંધ નથી. જો કે હમણા કેટલાક સમયથી તેની જાહેરાતો ખૂબ વધી ગઈ છે. તેમાં ફિલ્મ સ્ટાર્સને પણ ફીચર કરવામાં આવે છે અને રોકાણ પર ઊંચુ વળતર મળવાની વાત કરાઈ રહી છે.

2008માં બિટકોઈન શરૂ થયા પછી હાલ ક્રિપ્ટોકરન્સીમાં ખૂબ મોટાપાયે જંગી માત્રામાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. પ્રતિબંધ લાદ્યા પછી તેમાં પૈસાનું રોકાણ કરવું આમ લોકો માટે મુશ્કેલ થઈ જશે. પણ મનાઈ રહ્યું છે કે સરકાર કેટલાક ક્રિપ્ટોકરન્સીને ચાલુ રાખી શકે છે, જેથી તેને આપ સરળતાથી ખરીદી કે વેચાણ શકી શકશો.

Related Posts

Leave a Comment