ચીનમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસની બેઠક પર દુનિયાની નજર છે. આ બેઠકમાં ચીનના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે?, તે નિશ્ચિત થશે. એટલા માટે આ બેઠક પહેલા જિજ્ઞાશા ઉભી થાય કે હવે ચીનના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે? રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? કેવી રીતે બને છે ચીનના રાષ્ટ્રપતિ? તે કેટલા તાકાતવાળા હોય છે? શું શી જિનપિંગ ત્રીજીવખત રાષ્ટ્રપતિ બનશે ખરા?
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસની પાંચ વર્ષે એક વાર થતી બેઠક ખૂબ જ ખાસ હોય છે. કોંગ્રેસની આ બેઠકમાં નક્કી થાય છે કે કોમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે? કોના હાથમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની કમાન રહેશે? આ બેઠકમાં નક્કી થાય છે કે ચીનમાં 1 અબજ 30 કરોડ લોકો પર કોનું શાસન રહેશે? તે વ્યક્તિ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સંચાલન કરશે.
ચીનમાં ભલે કોમ્યુનિસ્ટ પાર્ટીની સત્તા હોય, પણ કાયદેસર રીતે ત્યાં રાષ્ટ્રપતિ એટલે કે પાર્ટીના મહાસચિવ માટે ચૂંટણી થાય છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના સીપીસી દેશભરમાં પ્રતિનિધિઓની નિમણૂંક કરે છે. તે પછી બીજિંગના ગ્રેટ હૉલમાં બેઠક થાય છે. પાર્ટીમાં અંદાજે 2300 પ્રતિનિધિઓ હોય છે. સીપીસી એક સેન્ટ્રલ કમિટીની ચૂંટણી કરે છે. સેન્ટ્રલ કમિટીમાં 200 સભ્ય હોય છે. આ કમિટી પોલિત બ્યૂરોને પસંદ કરે છે. પોલિત બ્યૂરો સ્થાયી સમિતિની પસંદગી કરે છે. આ બન્ને કમિટીઓએ ચીનમાં નીતિગત નિર્ણયો લેવા માટે સક્ષમ હોય છે. ચીનના પોલિત બ્યૂરોમાં હાલ 24 સભ્ય છે. જ્યારે સ્ટેન્ડિંગ સમિતિના 7 સભ્યો હોય છે. જો કે સભ્યોની સંખ્યામાં ફેરફાર થતો રહેતો હોય છે.
ચીનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક મતદાન પ્રક્રિયાને અનુસરવામાં આવે છે. પણ વ્યવહારમાં વર્તમાનમાં આ નામ પહેલેથી નક્કી જ હોય છે. સેન્ટ્રલ કમિટી પાર્ટીના ટોચના નેતાની પસંદગી પણ કરતી હોય છે. તેને કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ કહેવાય છે. તે સીપીસીનો મહાસચિવ હોય છે. તે જ દેશનો રાષ્ટ્રપતિ બને છે. કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં ચીનના ભવિષ્ય માટે નવા નેતાઓને આગળ કરાય છે. પાર્ટીના મહાસચિવ એટલે કે રાષ્ટ્રપતિની પાસે પાંચ વર્ષ સુધી કમાન રહેતી હોય છે. શી જિનપિંગ આ વખતે પણ પાર્ટીના મહાસચિવ એટલે કે રાષ્ટ્રપતિ બનવાનું લગભગ નક્કી મનાય છે. તેઓ ચીનના આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ રહેશે.
શી જિનપિંગએ 10 વર્ષમાં પાર્ટીની અંદર પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. વર્ષ 2012માં જ્યારે શી જિનપિંગ સત્તામાં આવ્યા ત્યારથી તેમણે તેમની તાકાતમાં વધારો કર્યો છે. તેમની આ તાકાતને કારણે તેમને અનેક ટાઈટલો સાથે નવાજવામાં આવ્યા છે. તેમને કોર લીડર ઓફ ચાઈનાનું પણ ટાઈટલ આપવામાં આવ્યું છે. આ ટાઈટલ દ્વારા તેઓ ચીનના મહાન નેતા માઓત્સે તુંગ જેવા શક્તિશાળી નેતાઓની પંક્તિમાં ઉભા થયા છે. કહેવાય છે કે કોંગ્રેસમાં જિનપિંગના સહયોગીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. એટલા માટે પાર્ટી ચાર્ટરમાં જિનપિંગની નિતીઓનો અમલ કરવામાં સરળતા રહે છે.
જો જિનપિંગ પાર્ટીના મહાસચિવ જાહેર કરાશે તો તે કોમ્યુનિસ્ટ પાર્ટીમાં અક નવો અધ્યાય લખાશે અને જો તેમ થશે તો ચીનમાં પણ એક નવો ઈતિહાસ હશે. જિનપિંગ ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ હશે. જિનપિંગની આ લોકપ્રિયતાની પાછળ અનેક કારણો છે. જિનપિંગના નેતૃત્વમાં ચીનમાં વૈશ્વિક સ્તર પર કેટલાય મામલાઓ સામે આવ્યા છે, અને તેમાં વિજય થયો છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ચીન સાગરનો વિસ્તાર અન વન બેલ્ટ વન રોડ મહત્વના છે. જનપિંગની હોંગકોંગની નિતીને લઈને તેમણે દેશની અંદર અને બહાર પોતાની વાતને મનાવી છે. જિનપિંગની દેશના એકીકરણની નિતીને લઈને ખાસ કરીને હોંગકોંગ અને તાઈવાન મુદ્દે પર દેશમાં તેમને ખાસ્સુ એવું સમર્થન મળ્યું છે. તેમણે અમેરિકાની પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના રાષ્ટ્રપતિ જો બાઈડનના નેતૃત્વવાળા અમેરિકામાં જે સ્થિતિ બનાવી છે તે ચીન માટે એક વૈકલ્પિક મહાશક્તિના રૂપમાં રજૂ કર્યું છે.
વર્ષ 2012માં જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા પછી ભષ્ટ્રાચાર વિરોધી અભિયાન પ્રભાવી તરીકે લાગુ કરી શક્યા છે. ચીનમાં અદાજે 10 લાખથી વધુ ઓફિસરની વિરુદ્ધ ભષ્ટ્રાચારના મામલામાં કાર્યવાહી થઈ છે. જો કે જિનપિંગના આ પગલાની આકરી ટીકા પણ થઈ હતી. ચીનમાં કેટલાક લોકો તેમના વિરોધીઓ વિરુદ્ધની કાર્યવાહી ગણાવી રહ્યા છે. જિનપિંગના નામથી એક આંદોલન પણ થયું હતું. જેને કારણે મીડિયામાં જિનપિંગની છબી ચમકી હતી. અને તે કારણોએ જિનપિંગને ચીનમાં પ્યારથી ‘શી દાદા’ ઉપનામ મળ્યું છે.