આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે મંગળવારે માર્ચ 2022માં સમાપ્ત થનાર ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 9.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યારે આગામી નાણાંકીય વર્ષ 2022-23માં 7.9 ટકા રહેવાની ધારણા રજૂ કરી છે.
Moody’s ના કહેવા પ્રમાણે સંક્રમણના ડરથી લોકોના વ્યવહારમાં ફેરફાર આવ્યો છે, તેની સાથે કેટલાક રાજ્યોમાં લૉકડાઉન લાગ્યું હોવાથી આર્થિક ગતિવિધિયો પર અંકુશ લાગ્યો છે. પરંતુ આ પ્રભાવ પહેલી લહેરની જેટલો ગંભીર હોવાની આંશકા નથી. મૂડીઝે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં આર્થિક ગતિવિધિયોમાં ઘટાડો થવાનું અનુમાન છે. જો કે તે પછીના કવાર્ટરમાં સુધારો આવશે. તેને જોતા વાસ્તવિક ફુગાવાનો દર GDP Growth Rate માર્ચ 2022માં સમાપ્ત થનાર નાણાંકીય વર્ષમાં 9.3 ટકા અને નાણાકીય વર્ષ 2022માં 7.9 ટકા રહી શકે છે.
નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન India ની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો આવ્યો છે. રેટિંગ એજન્સીએ કહ્યું છે લાંબા ગાળામાં જીડીપી વૃદ્ધિ દર સરેરાશ લગભગ 6 ટકા રહેવાની આશા છે.
પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે ચાર દશકોમાં 2020-21માં અર્થવ્યવસ્થાનું સૌથી કાળુ વર્ષ રહ્યું છે. સૌથી ચિંતાની વાત એ છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી એક લાખ રૂપિયાની નીચે ઘટાડો આવ્યો છે. જે ઘટીને 99,694 થઈ ગયો છે. વીતેલા વર્ષની સરખામણીએ માઈનસ 8.2 ટકાનો ઘટાડો થયો છે.
Corona મહામારીને કારણે ધંધા રોજગાર બંધ છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, બિહાર જેવા અનેક રાજ્યોમાં Lockdown છે. જેને કારણે આર્થિક વ્યવહારો અટક્યા છે. બીજી તરફ વાવાઝોડાથી અનેક રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. પણ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, અને પરિસ્થિતિ સુધરી રહી છે, જેથી આગામી સમયમાં આર્થિક વિકાસ વેગ પકડશે. પરિણામે જ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના જીડીપીનો ગ્રોથ રેટ વધુ અંદાજ્યો છે. અને તે વધુ ઝડપથી વિકાસ કરશે. ભારતમાં હાલ વિદેશી રોકાણ અવિરત આવી રહ્યું છે. સ્ટોક માર્કેટ બુલિશ ઝોનમાં છે, સેન્સેક્સ અને નિફટી દરરોજ નવા હાઈ બનાવી રહ્યા છે. જેના પરથી એમ કહી શકાય કે ભારત મહામારીમાંથી બહાર નીકળશે, પછી ઝડપી ગ્રોથ નોંધાવશે.