ભારતમાં દેશવ્યાપી લોકડાઉન નહી આવે

by Investing A2Z

ભારતમાં કોરોના વાયરસનો બીજો વેવ શરૂ થયો છે, અને ખૂબ જ ઝડપથી પોઝિટિવ કેસ વધી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, તે પાછલા 132 દિવસમાં સૌથી મોટો આંકડો છે. તે ઉપરાંત 275 લોકોના મૃત્યુ થયા છે. જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. કોરોનાના વધતા જતાં કહેર વચ્ચે અત્યાર કેટલાક રાજ્યો આંશિક રીતે લોકડાઉનની જાહેરાત કરી ચુકી છે. પણ સંપૂર્ણ લોકડાઉનને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન થવાની કોઈ સંભાવના નથી.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવેડકરએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવી ગાઈડલાઈન્સનો અર્થ એ છે કે નવા સંક્રમણો પર ધ્યાન આપવું, નહી કે સંસ્થાઓને બંધ કરી. એપ્રિલના મહિના માટે અપાયેલા ગાઈડલાઈન્સમાં ગૃહમંત્રાલયને કહ્યું છે કે તમામ ગતિવિધિઓને મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ ગતિવિધિઓ માટે એસઓપીનું પાલન કરવું જરૂરી છે. વ્યક્તિઓ અને વસ્તુઓના આંતરરાષ્ટ્રીય અને જટિલ આંદોલન પર કોઈ પ્રતિબંધ નહી હોય. મોટાભાગના રાજ્યો અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે કોવિડ-19 ટેસ્ટિંગ ફરજિયાત કરી રહ્યા છે. લોકડાઉન માત્ર એક નિશ્રિત સમય માટે હોય છે. તે માત્ર સંક્રમણને રોકવા માટે ઉપયોગી છે. પણ રાજ્યોને ટ્રેકિંગ કરી અને ટેસ્ટિંગ તરફ ધ્યાન આપવું જોઈએ. જાવડેકરે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે, તેવા રાજ્યોના સંપર્કમાં છે. મને આશા છે કે આવનાર દિવસોમાં તેમાં સુધારો આવશે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેની વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે આરટી પીસીઆર ટેસ્ટ વધારે, તપાસ, ધ્યાન, ઉપચાર અને પ્રોટોકોલનું સખતમાં સખત પાલન કરાવે. તમામ આરોગ્ય કેન્દ્ર પર કોરોનાનું રસીકરણ ઝડપી બનાવવામાં આવે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 1 કરોડ 17 લાખ 34 હજાર 58 કેસ આવી ચુક્યા છે. જ્યારે કુલ 1 લાખ 60 હજાર 441 મૃત્યું થયા છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 68 હજાર કેસની છે. અને રીકવરી રેટમાં ઘટાડો થઈને 95.67 ટકા પર પહોંચી ગયો છે.

દિલ્હી સરકારે નિશ્રિત સ્થળોની યાદી જાહેર કરી છે, કે જેમાં કોરોના વાયરસ વધુ ફેલાવાનો ભય છે. જેમાં સિનેમા હોલ, ધાર્મિક સ્થળ, મોલ, મેટ્રો અને અન્ય સાર્વજનિક સ્થળોને મુકવામાં આવ્યા છે. સરકારે તમામ જિલ્લાના ડીએમને નિર્દેશ આપ્યો છે કે તેમના વિસ્તારમાં તેઓ ધ્યાન રાખે.

Related Posts

Leave a Comment