નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે આજે સતત નવમી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું છે. કરબોજ વિનાનું બજેટ રજૂ કર્યું છે. કોરોના મહામારીના વર્ષમાં પણ કોઈ રાહત ન આપી. નીતિન પટેલે રજૂ કરેલ બજેટ રૂપિયા 2,27,029 કરોડના કદનું અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ છે અને આ બજેટ રૂપિયા 587.88 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરીને આશ્ચર્ય સર્જયું છે.
કોરોના મહામારીના વર્ષમાં પણ પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું છે, 14,000 કરોડના આત્મનિર્ભર ગુજરાત આર્થિક રાહત પેકેજની જાહેરાત પછી પણ પુરાંતવાળુ બજેટ રજૂ થયું છે. જો કે નીતિનભાઈ ગૃહમાં જ માહિતી આપી હતી કે 2019-20ના વર્ષમાં ગુજરાતનું દેવું 2,67,650 કરોડ છે. એટલે કે ગુજરાતના દેવામાં વધારો થયો છે, તેમ છતાં પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું છે, અને સરવૈયાનો મેળ બેસાડી દીધો છે.
બજેટમાં રજૂ થયેલ દરખાસ્તો પર એક નજર કરીએ
- વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉચાઈએ લઈ જવા માટે આગામી પાચ વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની માતબર જોગવાઈ વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત
- સાગરખેડૂના સર્વાગી વિકાસ માટે રૂપિયા 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2 જાહેર
- આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે
- આગામી પાંચ વર્ષમાં મેન્યુફેકચરીગ ફાર્મા એનર્જી એન્જીનીયરીગ ઈન્ફ્રાસ્ટ્રકચર આઈ.ટી પ્રવાસન હોસ્પિટિલીટી ફૂડ પ્રોસેસીગ બેનકીગ સર્વીસ સેકટર જેવા વાવિધ ક્ષેત્રા 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ
- વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે.
- આપણા ખેડૂત ભાઇઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે.
- રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
- ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
- બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
- એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ
- ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ
- ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
- ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ
- રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઈ
- બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ
- બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ
- નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ
પશુપાલન
- ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ
- ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૪૩ કરોડની જોગવાઈ.
- ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
- રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
- કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. ૭ કરોડની જોગવાઈ
- દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ
કૃષિ સંશોધન અને શિક્ષણ-રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ
- રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂ. ૬૯૮ કરોડની જોગવાઇ
- કામઘેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂ. ૧૩૭ કરોડની જોગવાઇ.
મત્સ્યોદ્યોગ
- દરિયાઈ વિસ્તારનાં ૧૦ હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ
- નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિઘાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૯૭ કરોડની જોગવાઈ
- દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. ૧૫ કરોડની જોગવાઇ
- ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં મત્સ્ય ઉતરાણ માટે ફલોટીંગ જેટી બનાવવા રૂ. ૫ કરોડની જોગવાઇ
- માછીમાર ભાઈઓને જમ્બો પ્લાસ્ટિક કેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલીંગ સ્ટેકર ખરીદી ઉપર સહાય આપવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ
- જળાશયોમાં કેજ કલ્ચરની આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મત્સ્ય ઉત્પાદનમાં વઘારો કરવા માટે સહાય આપવાની યોજના હેઠળ રૂ. ૨ કરોડની જોગવાઇ.
સહકાર
- રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.
કૃષિ બજાર વ્યવસ્થા
- ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ. ૭૮ કરોડની જોગવાઈ.
- તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેકટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ. ૬ કરોડની જોગવાઇ.
જળસંપત્તિ વિભાગ માટે રૂ. ૫૪૯૪ કરોડની જોગવાઈ
- રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની જોગવાઇ
- અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. ૭૫૭ કરોડની જોગવાઇ
- રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. ૩૧૨ કરોડની જોગવાઇ
- બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ
- સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ
- સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ
આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ. ૧૩૪૯ કરોડ
- ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર ઉદ્વવહન પાઇપલાઇનનું આયોજન છે. જેના માટે રૂ. ૩૩૦ કરોડની જોગવાઈ
- સુરત જિલ્લામાં રૂ. પ૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વવહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૧૯,૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવેલ છે
- પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજનાઓ માટે રૂ. ૧૮૫ કરોડની જોગવાઈ
- સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોના ૨૧૭૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે રૂ.૭૧૧ કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ
- કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરી દાહોદ જિલ્લાના સંજેલી, સીંગવડ, ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાઓના સિંચાઇથી વંચિત રહેલા વધુ ૪૫૦૦ હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવા માટે અંદાજીત રૂ.૨૨૬ કરોડની ઉદ્વવહન સિંચાઈ યોજનાનું આયોજન કરેલ છે. જેના માટે રૂ. ૧૧૦ કરોડની જોગવાઈ
- કરજણ જળાશય આધારિત દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા વિસ્તારમાં ૭૫૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. ૪૧૮ કરોડની પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ.
કલ્પસર પ્રભાગ માટે રૂ.૧૫૦૧ કરોડની જોગવાઈ
ભાડભૂત બેરેજ યોજના
- નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આગામી ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં પ૯૯ મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે જેના કારણે નર્મદા નદીમાં ૭૦ કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર ૬ માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં ૩૭ કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂ.૧૪૫૩ કરોડની જોગવાઇ.
સૂક્ષ્મ સિંચાઈ
- સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫ થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ
નર્મદા યોજના
- રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૨,૭૧૯ કરોડની જોગવાઇ
- શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે
- બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે ૩૪૦૦ શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. ૧૨૦૭ કરોડનું આયોજન.
- ધોરણ-૧ થી ૮ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ
- યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. ૧૦૪૪ કરોડની જોગવાઈ
- રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર
વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૬૭ કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૮૭ કરોડની જોગવાઈ
- ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ. ૨૦૫ કરોડની જોગવાઇ
- કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ
- હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ
- રાજ્યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. ૭૨ કરોડની જોગવાઇ
- માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. ૬૫ કરોડની જોગવાઇ
- જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. ૬૦ કરોડની જોગવાઇ
- ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ
- રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
- વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ
- આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ઘોરણ-૧૧ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ
- અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી ૩૭ સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. ૧૦ કરોડની જોગવાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ
- રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૩૪૮ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૧૧૦૬ કરોડ
- રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂ. ૧૪૫ કરોડની જોગવાઈ
- નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.૬૬ કરોડની જોગવાઈ
- ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે ૫૦ કરોડની જોગવાઈ
- ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઈ
- સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ
- રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ
- ૨૦ સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૩૫૧૧ કરોડની જોગવાઇ
- સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં પ૩,૦૦૦થી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત ૬૦ લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે
- પૂરક પોષણ યોજનાઓ માટે રૂ. ૯૩૯ કરોડની જોગવાઈ
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂ. ૭૦૦ કરોડની જોગવાઇ
- રાજ્યની ૧૫ થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂ. ૨૨૦ કરોડની જોગવાઈ
- વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ ૮૩ તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ. ૧૩૬ કરોડની જોગવાઈ
- છ માસથી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે રૂ. ૯ કરોડની જોગવાઇ
- નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોનો ગુણવત્તાયુક્ત વિકાસ માટે “પા પા પગલી” યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ. પ કરોડની જોગવાઈ
- સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂ. પ૦ હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ
પાણી પુરવઠા પ્રભાગ માટે કુલ રૂ. ૩૯૭૪ કરોડની જોગવાઈ
– રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાનું પર્યાપ્ત શુદ્ધ પાણી આપવા રાજ્ય સરકારે અનેક આયોજનો પૂર્ણ કર્યા છે. પાણી વિતરણ સુનિશ્ચિત કરવા ૧૩,૬૦૦ ગામો અને ૨૦૯ શહેરી વિસ્તારોને આવરી લઇ ૧ લાખ ૨૬ હજાર કિલોમીટરની રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ઘરે ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા “નલ સે જલ” યોજના અમલમાં મૂકેલ છે.
– આપણી રાજ્ય સરકારે ૮૨ ટકા ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ કરેલ છે. આગામી વર્ષોમાં રાજયનો કોઇપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિના ના રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે નર્મદા કેનાલ તેમજ મોટા ડેમ આધારિત પાઇપલાઇન મારફતે ખાતરીપૂર્વકના સોર્સ ઊભા કરવામાં આવશે. શહેરીકરણનો વધતો જતો વ્યાપ ધ્યાને લઈ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના ઓ.જી.વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ માટે શહેરી સત્તામંડળ સાથે સંયુક્ત રીતે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવશે.
– આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૨૮૪૧ ગામોના પ્રગતિ હેઠળના તથા ૧૯૪૧ ગામોના મંજૂર થયેલ પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.
– સરફેસ સોર્સ આધારિત જુથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોને પાણી પૂરું પાડવા વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં બલ્ક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ. ૯૬૮ કરોડની જોગવાઈ.
– સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઇપલાઇન માટે રૂ. ૬૭૫ કરોડની જોગવાઇ.
– સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્યાએ ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ.
– હર ઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાઓની ૧૦૦% કામગીરી પૂર્ણ થયેલ છે. રાજ્યના બાકી રહેલ ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના આયોજન અંતર્ગત રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ.
– રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત જુદાં જુદાં શહેરી વિસ્તારોમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગની યોજનાઓ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
– અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂ.૨૨૭૫કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે. જે માટે રૂ. ૭૫૮ કરોડની જોગવાઇ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. ૪૩૫૩ કરોડની જોગવાઈ
- અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી જાતિ, સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો, દિવ્યાંગો, નિરાધાર વૃદ્ધોનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે સરકાર કટીબધ્ધ છે.
- વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃધ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખ ૯૫ હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. ૧૦૩૨ કરોડની જોગવાઈ.
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતિજાતિના કુલ ઓગણચાલીસ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કરતા છ લાખ ત્રેસઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ. ૫૪૯ કરોડની જોગવાઇ
- આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂ. ૧પ૯ કરોડની જોગવાઈ.
- ધોરણ-૯માં અભ્યાસ કરતી અનસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે એક લાખ બ્યાંશી હજાર કન્યાઓને વિનામુલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ રૂ.૭૧ કરોડની જોગવાઇ
- દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ રૂ. ૫૩ કરોડની જોગવાઇ.
- માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિના ૧૪ હજાર લાભાર્થીઓને અને વિકસતી જાતિના ૨૦ હજાર લાભાર્થીઓને સાધનો પૂરાં પાડવા માટે રૂ. ૪૪ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂ.૧૦,૦૦૦ની સહાયમાં રૂ. ૨૦૦૦નો વધારો કરી રૂ. ૧૨,૦૦૦ કરવાની જાહેરાત કરું છું. આ માટે રૂ.૪૦ કરોડની જોગવાઈ
- રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ. ૧૯ કરોડની જોગવાઇ
- સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ
- ૮૦ ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂ.૧૦૦૦ પેન્શન આપવામાં આવે છે. હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી ૮૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવાની જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળશે. જે માટે રૂ. ૯ કરોડની જોગવાઈ
- દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂ. ૮ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જાતિની ૨૮ અને વિકસતી જાતિની ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઇ-લર્નિંગ પ્રોજેકટ શરૂ કરવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ
- અનસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ. ૩ કરોડની જોગવાઈ
- ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમરસ છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ.૧ કરોડની જોગવાઇ
- જુવેનાઇલ જસ્ટિસ ફંડ મારફત મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને સહાય અને પુનર્વસન માટે રૂ.૧ કરોડની જોગવાઈ
- દિવ્યાંગ વ્યક્તિઓને મુદતી ધિરાણ, શૈક્ષણિક હેતુ માટે ધિરાણ, માઈક્રો ફાયનાન્સ જેવી યોજનાઓ દ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ કરવા માટે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ માટે રૂ. ૭ કરોડની જોગવાઇ
- વડોદરા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામો માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ
- ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ તેમજ વિવિધ લોન સહાય માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૬૫૬ કરોડની જોગવાઈ
- અનુસૂચિત જનજાતિના બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂ. ૩૬૫ કરોડની જોગવાઈ
- દૂધ સંજીવની યોજના અંતર્ગત ૫૩ આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના ૮ લાખ બાળકોને ફલેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઈ
- અનુસૂચિત જનજાતિના પ્રિ-એસ.એસ.સી.ના ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ.૧૩૮ કરોડની જોગવાઈ
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અને મૂકસેવક ઠક્કરબાપાના માગદર્શનથી બનાવવામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ/ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા તથા જર્જરિત વર્ગખંડોના નવીનીકરણ માટે રૂ. ૩૦ કરોડની જોગવાઈ
- નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ
- અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયો અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૨ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જનજાતિની ધો.૯માં અભ્યાસ કરતી ૪૮,૦૦૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ માટે રૂ. ૧૯ કરોડની જોગવાઈ
- સ્વતંત્રતાની રાષ્ટ્રીય ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નિર્માણ માટે રૂ. ૨૬ કરોડની જોગવાઈ
- હાલમાં જ્યારે ડિજીટલ સેવાઓનો વ્યાપ વધ્યો છે ત્યારે તેનો લાભ અંતરિયાળ આદિજાતિ વિસ્તારને પણ સરળતાથી મળી શકે તે હેતુથી નેટવર્ક કવરેજ વધારવા નવા મોબાઇલ ટાવર ઊભા કરવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ
- આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી સ્માર્ટ ક્લાસ રૂમ શરૂ કરવા રૂ. ૯ કરોડની જોગવાઈ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગ્રામ વિકાસ માટે કુલ રૂ. ૮૭૯૬ કરોડની જોગવાઇ
- આત્મા ગામડાંનો અને સુવિધા શહેરની એ આશય સાથે ગુજરાતના દરેક માળખાગત સુવિધાઓનો વિકાસ સરકારે હાથ ધરેલ છે. ગામમાં શુદ્ધ પીવાનું મળે, ગામમાં પાકી ગટર વ્યવસ્થા હોય, ગામમાં પ્રવાહી અને ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને ગામેગામ ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થાય તે દિશામાં રાજ્ય આગળ વધી રહ્યું છે
- ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા રસ્તા, પીવાના પાણી અને ગટર વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા ૧પમાં નાણાપંચ અંતર્ગત રૂ. ૨૩૮૫ કરોડની જોગવાઈ
- ડોર ટુ ડોર કલેક્શન દ્વારા ઘન કચરો એકત્ર કરવા માટે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને વ્યક્તિદીઠ માસિક ગ્રાન્ટ રૂપિયા બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત. જેના માટે રૂ. ૧૭૫ કરોડની જોગવાઇ
- માદરે વતન અને રૂર્બન યોજના માટે રૂ. ૧૪૦ કરોડની જોગવાઇ
- ગ્રામ પંચાયતોને જરૂરી કમ્પયૂટર વ્યવસ્થા અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટિ પૂરી પાડવા રૂ. ૯૦ કરોડની જોગવાઇ
- નવીન બનેલ ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતના મકાનો પર સોલાર રૂફ ટોપ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ
- નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ અમલાખાડી, ઢાઢર, અમરાવતી, કોલક, બાલેશ્વર અને કીમ નદી પરના ૧૯ ગામોમાં ગંદાપાણીના શુદ્ધિકરણ અને સ્વચ્છતા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ