ભારતમાં હવે ઝડપી આર્થિક સુધારો નોંધાશેઃ આર્થિક સર્વે

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમને શુક્રવારે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. તે અનુસાર નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથ રેટ માઈનસ 7.7 ટકા રહેવાની શકયતા છે. પણ આર્થિક સર્વે અનુસાર વર્ષ 2021-22માં રિયલ જીડીપી ગ્રોથ રેટ 11 ટકા રહેવાની આશા દર્શાવી છે. તેમાં કહેવાયું છે કે ભારતીય ઈકોનોમી કોરોના વાયરસના પ્રભાવથી નિકળીને જબરજસ્ત રીતે બાઉન્સ બેક કરશે અને આગામી નાણાકીય વર્ષમાં દેશની વાસ્તવિક આર્થિક વિકાસની ગતિ 11 ટકા રહેવાની ધારણા છે.

આર્થિક સર્વેમાં કહેવાયું છે કે આગામી વર્ષમાં નોમિનલ જીડીપી 15.4 ટકા રહેવાની ધારણા છે, તેમજ સીએસએસએ અનુમાન લગાવ્યું છે કે અર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ દરમાં 23.9 ટકા જ્યારે બીજા ત્રિમાસિકગાળામાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. આર્થિક સર્વે રજૂ થયા પછી લોકસભાને પુરા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

આર્થિક સર્વેમાં કહેવાયું છે કે ભારતના કરંટ એકાઉન્ટનું સરપ્લસ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 2 ટકા રહી શકે છે. ઈકોનોમિક સર્વેમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે જે અનુમાન લગાવ્યું છે તે અનુમાન આઈએમએફ દ્વારા પણ લગાવવામાં આવ્યું છે. આઈએમએફે કહ્યું હતું કે વર્ષ 2021-22માં ભારતનો રીયલ જીડીપી ગ્રોથ રેટ 11.5 ટકા રહી શકે છે. અને 2022-23માં ભારતની ઈકોનોમીમાં 6.8 ટકાનો ગ્રોથ જોવા મળશે. આઈએમએફનું કહેવું હતું કે આગામી બે વર્ષમાં ભારત દુનિયાનથી સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા હશે.

કોરોના વાયરસ મહામારીને કારણે દુનિયાભરમાં આર્થિક મોરચે અનિશ્રિતતા અને સુસ્તીનો માહોલ છે. જે વચ્ચે ભારતીય અર્થતંત્રને તેજ ગતિ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સર્વેમાં ઉજ્જવળ ભવિષ્યની આશા રજૂ કરાઈ છે. આર્થિક સર્વેમાં વધુ એક્ટિવ રાજકોષીય નિતી અપવાનવાની તરફેણ કરાઈ છે. તેમાં કહેવાયું છે કે સરકારે આર્થિક વિકાસને તેજ કરવા માટે કાઉન્ટર સાયક્લિકલ ફિસ્કલ પોલીસી અપનાવવી જોઈએ.

આર્થિક સર્વેમાં કહેવાયું છે કે ઝડપી આર્થિક ગ્રોથ માટે સરકારે રાજકોષીય ખાદ્ય(ફિઝકલ ડેફીસીટ)ની ચિંતા ન કરવી જોઈએ. જો કે ગ્રોથને વધારવા માટે સરકારે પોતાનો ખર્ચ વધુ વધારવો જોઈએ. અને સરકરારે પોતાનો કેપિટલ ખર્ચમાં વધારો કરવો જોઈએ, જેનાથી સરકારની આવકમાં આગામી કેટલાક વર્ષોમાં વધુ વધારો થશે. સરકારે ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ, જેથી સામાન્ય લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા આવી જાય, જેનાથી પ્રોડક્ટસ અને સર્વિસીઝની ડિમાન્ડમાં વધારો થઈ શકે.

આર્થિક સર્વેમાં કહેવાયું છે કે જ્યારે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી હોય અથવા ઈકોનોમિક ક્રાઈસીસ હોય તેવી સ્થિતિમાં સરકારે દેવું વધારવું જોઈએ અને ફિઝકલ ડેફીસીટના મોરચે રિલેક્સ રહેવું જોઈએ એટલે કે બહુ ચિંતા ન કરવી જોઈએ. વધારે એક્ટિવ અને કાઉન્ટર સાઈક્લિકલ ફિસ્કલ પોલીસીનો અર્થ રાજકોષીય ગેરજવાબદારી નથી.

નાણાપ્રધાને લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે, તે આર્થિક સર્વ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને તૈયાર કર્યો છે. કેવી સુબ્રમણ્યનનું કહેવું હતું કે આર્થિક સર્વેક્ષણનું પ્રથમ ચેપ્ટર ભારતની કોવિડ 19 પોલીસીને સમર્પિત છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ભારતે જે નીતિ અપવાની છે તેનાથી 1 લાખ લોકોના જીવ બચાવી શકાયા છે. તેમજ લોકડાઉનનો ચુસ્ત અમલ થવાથી અર્થવ્યવસ્થામાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે. પણ આગામી સમયમાં પોઝીટીવ ગ્રોથ જોવા મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે મેન્યુફેકચરિંગ અને કન્સ્ટ્રક્શન સેકટર વધુ પ્રભાવિત થયા છે. જો કે કૃષિ સેકટરને નેગેટિવ અસર પડી નથી. દેશમાં હવે વી શેપમાં રીકવરી જોવા મળી શકે છે.

Related Posts

Leave a Comment