માસ્ક મુદ્દે ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

by Investing A2Z

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન થયું હોવાની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે, અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. માસ્ક નહી પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા મોકલવા આદેશ કર્યો છે, અને રાજ્ય સરકારને જવાબ આપવા જણાવ્યું છે.

માસ્ક નહી પહેરનારાઓને કોરોના સેન્ટરમાં કામ કરાવવા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરવું યોગ્ય નથી. તેનાથી લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ મુક્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરી છે કે માસ્ક વગરના લોકો મોલ અને લગ્નમાં જઈ રહ્યા છે. કોર્ટે કહ્યું છે કે માસ્ક પહેરવું તેને કડક રીતે લાગુ કરવું જોઈએ. ગુજરાત સરકારે માસ્ક પહેરવા અને કોરોનાની ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન થાય તે માટે નિર્દેશ આપવો જોઈએ.

ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત સરકારે કોરોની ગાઈડલાઈન્સ તો બનાવી પણ સરકારમાં રહેલા નેતાઓ જ તેનું પાલન નથી કરતાં અને આમ જનતા પાસે તેનો કડક અમલ કરાવે છે. જેની નોંધ હાઈકોર્ટે લીધી છે અને નારાજગી વ્યક્ત કરી છે. આ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહી પહેરનારનો દંડ રૂપિયા 500થી વધારીને રૂપિયા 1000 કરવાનો આદેશ કર્યો હતો. આવો આકરો દંડ હોવા છતાં લોકો હજી માસ્ક નહી પહેરતા, તેવું હાઈકોર્ટના ધ્યાને આવ્યું છે.

કોરોનાની મહામારીને હજી લોકો હળવાશથી લઈ રહ્યા છે. અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, એવા સમાચાર છતાં લોકોને કોરોનાનો ડર નથી. બધા બિન્દાસ્ત થઈને ફરે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે કે અત્યાર સુધીમાં 2.78 લાખ નાગરિકો પાસેથી માસ્ક નહી પહેરવા બદલ રૂપિયા 14.89 કરોડ જેટલી માતબર રકમનો દંડ વસુલ્યો છે. છેલ્લા આઠ મહિનામાં કરફ્યૂ અને જાહેરનામા ભંગના ગુના બદલ 32,284 લોકો સામે કેસ કરવામાં આવ્યો છે. અને આવા ગુનામાં 41,054 લોકોની ઘરપકડ કરવામાં આવી છે. 30 નવેમ્બરના રોજ 1363 વ્યક્તિઓ પાસેથી 13,63,000 રૂપિયોના દંડ લેવાયો છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

સત્તા હોવા છતાં ઉપયોગ કરવામાં નિષ્ફળ કેમ છો? હાઈકોર્ટ

કોર્ટના આદેશનું બાદ કડક અમલીકરણ કરાવો

નેતાઓ દ્વારા થતાં સોશિયલ ડિસ્ટન્સના ઉડતાં ધજાગરા પર સરકાર સામે નારાજગી

નેતા અને જનતા માટે નિયમો સમાન છેઃ હાઈકોર્ટ

નેતાઓમાં લગ્ન પ્રસંગની ભીડ પર કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ

માસ્ક મામલે સરકારે શું કામગીરી કરી તે અંગે રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ

24 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે

24 ડિસેમ્બરે બેદરકારી દાખવતાં લોકો સામે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સોંપશે સરકાર

ગુજરાત હાઇકોર્ટનો સરકારને આદેશ

માસ્ક સહિત કોવિડની ગાઇડલાન્સનું ફરજિઆત પાલન કરાવોઃ હાઈકોર્ટ

માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં સેવા આપવા મોકલવાઃ હાઈકોર્ટ

મેડિસિન સિવાયની કામગીરી સોંપવામાં આવશે

માસ્ક ન પહેરનારે કોવિડ સેન્ટરમાં 5થી 15 દિવસની કામગીરી કરવાની રહેશે

ગુજરાત હાઈકોર્ટની આકરી ઝાટકણી પછી ગુજરાત સરકાર તેનો અભ્યાસ કરીને જાહેરનામુ બહાર પાડશે. કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, તેવું હાઈકોર્ટના અવલોકન પરથી સ્પષ્ટ થાય છે. નેતાઓ છૂટી જાય છે અને આમ જનતાને દંડ થાય છે. શા માટે આવો ભેદભાવ કરાય છે. ખરેખર તો સરકાર બેઠેલા નેતાઓ ફરજ સમજીને જનતા પાસે તેનું પાલન કરાવવાનું હોય. સરકાર નિયમો બનાવે અને જનતા પાલન કરે, જનતા પાલન ના કરે તો તેને દંડ થાય, નેતાઓને કાંઈ નહી. આ અંગે રાજ્ય સરકારે જ કડક સૂચના જારી કરવી જઈએ. કોઈપણ નેતા કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નહી કરે તો કાયદો કાયદાનું કામ કરશે.

તાપીમાં રાજ્યના પૂર્વપ્રધાન કાંતી ગામીતના ત્યાં તુલસી વિવાહ અને પૌત્રીની સગાઈ થઈ ત્યારે 30 નવેમ્બરે 2000 માણસો પ્રસંગમાં આવ્યા, નાચ્યા, ગરબા ગાયા અને બધા જમ્યા પણ. વીડિયો બધાએ જોયો હશે. જો કે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. પણ આ તો વીડિયો મીડિયામાં આવ્યા પછી સરકાર જાગી. સરકારના નેતાઓએ શું ધ્યાન રાખ્યું, સ્થાનિક તંત્ર, પોલીસ કયા ગઈ હતી. અને બીજો મહત્વનો સવાલ એ થાય કે કાંતી ગામીતે માફી માંગી, ભુલ થઈ ગઈ છે, તેવું સ્વીકારી લીધું. પણ તેઓ કોરોનાની ગાઈડલાઈન્સ જાણતા ન હતા, કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, તે પણ ખબર નહોતી. આવું કેવી રીતે ચાલે.

ટૂંકમાં બધા માસ્ક પહેરજો નહી તો કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા જવું પડશે, તેની તૈયારી રાખજો. હાલ માસ્ક જ વેક્સિન છે, એમ સમજીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે અને પરિવારની રક્ષા કરવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.

Related Posts

Leave a Comment