PM મોદીની કોરોના વેક્સિન પ્લાન્ટની મુલાકાતથી સર્જાયો પોઝિટિવ માહોલ

by Investing A2Z

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે કોરોના વેક્સિન બનાવતાં ભારતના ત્રણ પ્લાન્ટની મુલાકાત લીધી છે. ભારતમાં કોરોના સંક્રમણનો બીજો વેવ ચાલી રહ્યો છે. દરરોજ વધુને વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. દેશ અને ગુજરાતમાં દરરોજ કોરોનાના નવા કેસ આવે છે. ભારે ભયનો માહોલ છે, આ સંજોગોમાં પીએમ મોદીએ કોરોના વેક્સિનની ટ્રાયલ અંગેના પરિણામો જાણીને દેશમાં પોઝિટિવ માહોલ ઉભો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સવારે 9ના ટકોરે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર સ્થિત ઝાયડસના (Zydus) પ્લાન્ટની વિઝિટ કરી હતી. ઝાયડસના પ્લાન્ટમાં એક કલાક રોકાઈને કોરોના વેક્સિન ZyCoV-D અંગેની સંપૂર્ણ માહિતી મેળવી, વેક્સિન અંગેનું પ્રોડક્શન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અને કીમત અંગે જાણકારી મેળવી હતી.

ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડી વેક્સિન બની રહી છે, તે પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે, અને કંપનીએ તેના બે ટ્રાયલ પુરા કરી લીધા છે. આ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ઝાયકોવ-ડીનું ત્રીજુ ટ્રાયલ ડિસેમ્બરમાં કરાશે, અને તેમાં જો સફળતા મળી જશે તો માર્ચમાં આ વેક્સિન મળતી નથી જશે, તેમ સુત્રો જણાવી રહ્યા છે. કંપનીને આ વેક્સિન પર એટલો બધો ભરોસો છે, કે તેમણે 10 કરોડ દવાઓનો ડોઝ બનાવીને તૈયાર કરી નાંખ્યો છે. અને વધુ ઉત્પાદન માટે એક નવો પ્લાન્ટ નાંખવાની તૈયારીઓ કરી નાંખી છે.

અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસના બાયોટેક પાર્કમાં છેલ્લા 20 વર્ષથી વિવિધ રસી બનાવવાનું અને રીચર્સનું કામકાજ ચાલે છે. કંપનીએ કોરોનાની વેક્સિન બનાવવા માટે કામ શરૂ કર્યું પછી તેને ડીસીજીઆઈ દ્વારા 16 જૂને ક્લિનિક્લ ટ્રાયલની મંજૂરી આપી હતી. આ મંજૂરી મળતાની સાથે હ્યુમન ટ્રાયલ તરફ કામ આગળ વધ્યું હતું. સેકન્ડ ફેઝમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે, અને તેમાં સફળતા મળી છે, આથી હવે કંપની થર્ડ ફેઝમાં ટ્રાયલ ડિસેમ્બરમાં શરૂ કરશે. આ સાથે કંપનીમાં 300થી વધુ વૈજ્ઞાનિકો કામમાં જોડાયેલા છે.

ઝાયકોવ-ડી વેક્સિનની ખાસિયત એ છે કે તે ઓછા ટેમ્પરેચરમાં પણ સાચવી શકાય છે. આથી દેશના અત્યંત અંતરિયાળ ગામડામાં પણ વેક્સિનને સાચવવી સહેલી પડશે. વાયરસ પરિવર્તન પામે તો તે સ્થિતિમાં પણ રસી રક્ષણ આપે છે. બે ત્રણ સપ્તાહમાં રસીમાં ફેરફાર કરવા માટે પ્લેટફોર્મનો ઝડપથી ઉપયોગ કરી શકાય છે. પ્લાઝમિડ ડીએનએને જ્યારે કોષના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે વાયરલ પ્રોટિનમાં રૂપાંતરિત થઈ જાય છે અને તે માન રોગ પ્રતિકારક વ્યવસ્થાના સેલ્યુલર અન હ્યુમરલ ભાર દ્વારા આપવામાં આવેલો મજબૂત રોગપ્રતિકારક પ્રતિસાદ દર્શાવે છે. જે બિમારી સામે રક્ષણ આપવામાં અને વાયરલ ક્લિયરન્સમાં મહત્વની ભૂમિતા ભજવે છે.

એક ટવીટમાં વડાપ્રધાને કહ્યું કે “ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવેલી સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે વધુ જાણવા અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી. હું તેમનું આ કાર્ય અને આ પ્રયત્નો કરનારી ટીમના વખાણ કરું છું. તેમના આ પ્રયત્નોમાં સાથ આપવા માટે ભારત સરકાર સક્રિય રીતે કાર્ય કરી રહી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ માટેની રસીની ઉત્પાદન પ્રક્રિયા અને વિકાસની વ્યક્તિગત સમીક્ષા માટે તેમની ત્રણ શહેરની મુલાકાતના ભાગ રૂપે હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક સુવિધા સ્થળની મુલાકાત લીધી હતી. મોદીએ ટ્વિટ કર્યું હતું કે “હૈદરાબાદની ભારત બાયોટેક સુવિધામાં તેમને દેશી કોવિડ-19 રસી વિશે માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોને અત્યાર સુધીના પરીક્ષણોમાં પ્રગતિ માટે અભિનંદન આપ્યા છે. તેમની ટીમ ઝડપી પ્રગતિ માટે આઇસીએમઆર સાથે મળીને કામ કરી રહી છે.”

પૂણેની સીરમ ઈન્સ્ટિયૂટની મુલાકાત પછી વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું અને તેમા લખ્યું હતું કે ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ટીમ સાથે સારી વાતચીત કરી હતી. તેઓએ તેમની અત્યાર સુધીની પ્રગતિ વિશેની વિગતો શેર કરી હતી કે તેઓ કેવી રીતે રસી ઉત્પાદનમાં આગળ વધવાની યોજના ધરાવે છે. તેમની ઉત્પાદન સુવિધા ઉપર પણ નજર નાખી હતી.’

Related Posts

Leave a Comment