કોરોના અને ચીન સરહદ પર તંગદિલી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની જાહેરાત કરી હતી. જે યોજના વેપારી મોરચે હાલ તો સફળ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની સાથે ભારતની વેપારી ખાધ પાછલા નાણાકીય વર્ષની પહેલા પાંચ મહિનાની સરખામણીએ અડધી થઈ છે. ચીનની સાથે વેપારી ખાધ અડધી થવાની પાછળ ચીનમાં ભારતની નિકાસ વધી છે, અને ભારતમાં ચીની ચીજવસ્તુઓની આયાત ઘટી છે, તે મહત્વનું કારણ છે.
સરકારે ભારતીય બજારમાં ચીની સામાનોનું ડમ્પિંગ રોકવા માટે મોટા પગલા લીધા હતી, જેની સીધી અસર નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેખાઈ છે. તેમજ સરકારે ચીનની એપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની સાથે ભારતની વેપારી ખાધ 12.6 બિલિયન ડૉલર રહી છે, જ્યારે પાછલા વર્ષ એપ્રિલથી ઓગસ્ટ સુધી વેપારી ખાધ 22.6 બિલિયન ડૉલર હતી. 2019માં આ જ સમયગાળામાં ભારતની ચીન સાથે વેપારી ખાધ 23.5 બિલિયન ડૉલર હતી. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ પછી ભારત દ્વારા ચીન પરની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતત ચાર મહિના સુધી ચીનમાં ભારતીય નિકાસમાં ડબલ ડીજીટ ગ્રોથ જોવા મળ્યો હતો. તે ઉપરાંત ચીનમાં ભારતથી આયર્ન અને સ્ટીલ શિપમેન્ટ સંબધિત નિકાસ 8 ગણી વધી ગઈ હતી.
વીતેલા વર્ષના એપ્રિલથી ઓગસ્ટમાં 9.5 ટકા ઑવરઑલ શિપમેન્ટની સરખામણીએ આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં તેનો 27 ટકા ગ્રોથ થયો છે. તેમજ ચાલુ નાણાકી વર્ષના પાંચ મહિનામાં ચીની આયાત ઘટીને 21 ટકા થઈ ગઈ છે. વીતેલા નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આ આંકડો 27 ટકા હતો. જૂનમાં ઑવરઑલ નિકાસ ગ્રોથ 78 ટકા હતી, જે જુલાઈમાં ઘટીને 23 ટકા રહી ગઈ છે. ચીનની સાથે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ પછી ભારત સરકારે દેશમાં ચીની સામાનની ડમ્પિંગ રોકવા માટે નિતીઓ પર કામ શરૂ કર્યું હતું. ભારતીય લોકોએ પણ ચીની સામાનનો બહિષ્કાર શરૂ કર્યો હતો.
તાજેતરમાં ડાયરેક્ટરોટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે ભારતમાં સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે કલર ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત ભારત દક્ષિણ એશિયાના આપણા વેપારી સંબધો દ્વારા ભારતમાં ચીની સામાનો આવવા માટે થઈ રહેલ રિરુટિંગને પણ રોકવા માંગે છે. વિતેલા કેટલાક વર્ષોમાં ભારતીય ફોન માર્કેટમાં ચાઈનીઝ સ્માર્ટ ફોનનો દબદબો રહ્યો છે. જો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય માર્કેટમાં ચીની સ્માર્ટફોનનો હિસ્સો ઘટીને 72 ટકા જ રહી ગયો છે. જે પાછલા વર્ષે આખરી ત્રિમાસિક ગાળામાં ભારતમાં ચીની સ્માર્ટ ફોનનો 81 ટકા હિસ્સો હતો.
તે ઉપરાંત સરકાર ભારતના 20 સેકટરમાં લાઈસેસિંગ રિકાયરમેન્ટ ઈમ્પોઝ કરવા પર વિચાર કરી રહી છે. આ 20 સેકટરમાં રમકડા(ટોયઝ), સ્પોર્ટસ ગુડ્ઝ, ટેક્સટાઈલ વિગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિએન્ટ(એપીઆઈ) પર કસ્ટમ ડ્યૂટીમાં 10 ટકાથી વધારીને 15 ટકાનો વધારો કર્યો હતો. આમ જોવા જઈએ તો ભારતીય ફાર્માસ્યુટિક્લ ઈન્ડસ્ટ્રીઝ એપીઆઈ માટે ચીન પર નિર્ભર છે. ભારતના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિએન્ટ(એપીઆઈ)માં ચીનનો 68 ટકા અને એન્ટીબાયોટિક્સમાં 90 ટકા હિસ્સો ધરાવે છે.
અત્યાર હાલ તો ચીન સામે ભારતની ચાલ સફળ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી તે શાનમાં સમજવા જેવી વાત હતી. ચીનમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ તે ચીજવસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. તો જ આપણી ચીન પરની નિર્ભરતા ઓછી થાય. દરેક ભારતીય અને ગુજરાતીએ આ તક ઝડપી લેવાની જરૂર છે. તો જ આપણે ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતીય અને આત્મનિર્ભર ગુજરાતી બનીશું.