વિશ્વમાં કોરોના રીકવરી રેટમાં ભારત ટોપ પર

by Investing A2Z

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું છે કે ભારતે કોવિડ-19ના દર્દીઓ સ્વસ્થ થવાના મામલામાં ઐતિહાસિક વૈશ્વિક ઉપલબ્ધિ હાંસલ કરી છે, અને અમેરિકાને પાછળ છોડી દીધું છે. રીકવરી રેટ મામલે ભારત ટોપ પર રહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં હજી સુધી 42,08,431 કોવિડ-19 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. જે દુનિયામાં તમામ દેશોમાં સંક્રમણમુક્ત થયેલા દર્દીઓની સર્વાધિક સંખ્યા છે. દેશમાં સંક્રમણમાંથી સાજા થયેલાનો દર(રીકવરી રેટ) અંદાજે 80 ટકા થયો છે. તેમજ સંક્રમણથી મૃત્યુદર ઘટીને 1.61 ટકા રહી ગયો છે.

મંત્રાલયે કહ્યું છે કે હવે ભારતમાં દુનિયાભરમાં સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકો અંદાજે 19 ટકા સંખ્યા છે. તેને કારણે સંક્રમણમુક્ત થવા માટે રાષ્ટ્રીય દર મજબૂતીથી સુધરીને 79.28 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં આક્રમક રીતે તપાસ કરીને દર્દીઓને ઝડપથી ઓળખ કરીને કેન્દ્રીત, ક્રમબદ્ધ અને કારગત ઉપાયો કરીને તેને યોગ્ય રીતે દેખરેખ હેઠળ લેવાય છે અને પૂર્ણ રીતે મેડિકલ દેખભાળ કરીને આ વૈશ્વિક ઉપલબ્ધિ હાંસલ કરી છે.

મંત્રાલયે શનિવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલ આંકડા અનુસાર 24 કલાક દરમિયાન દેશમાં 95,880 લોકો કોવિડ-19માંથી બહાર નીકળ્યા છે અને સ્વસ્થ થયેલા 90 ટકા કેસ 15 રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આવ્યા છે. સ્વસ્થ થયેલા દર્દીઓમાં નવા કેસમાં અંદાજે 60 ટકા કેસ પાંચ રાજ્યો- મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અન ઉત્તરપ્રદેશમાંથી આવ્યા છે. આ પાંચ રાજ્યોમાંથી કોરોનાના સૌથી વધુ કેસ પણ આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 22 હજારથી(23 ટકા) વધુ લોકો સાજા થયા છે. તેમજ સંક્રમણમુક્ત થવાના નવા કેસમાં આંધ્રપ્રદેશમાં 11,000(12.3 ટકા) લોકો છે.

ભારત સૌથી વધુ દર્દીઓને સાજા કરવાની દિશામાં સતત વધી રહ્યું છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ કરીને કેન્દ્રની રણનીતિઓની સાથે કારગત તરીકે ટ્રીટમેન્ટનું પરિણામ છે. મંત્રાલયના કહેવા પ્રમાણે દેશમાં રેમડેસિવિર, પ્લાઝમા થેરેપી અને ટોસિલીજુમૈબ જેવી દવા અન ઈન્જેક્શનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સાથે અન્ય ઉપાયોને પણ અપનાવ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અપાતી સહાય પર પણ સતત અને નિયમિત સમીક્ષા કરી રહ્યું છે. તે હોસ્પિટલોમાં અને અન્ય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા પર પણ સતત નજર રાખી રહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે 8 વાગ્યે જાહેર કરાયેલ સત્તાવાર આંકડા મુજબ 24 કલાકમાં 95,880 લોકો સંક્રમણમુક્ત થયા છે. આ જ સમયગાળામાં કોરોના વાયરસના સંક્રમણના 93,337 નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે દેશમાં કોવિડ-19ના કુલ 53,08,014 કેસ થઈ ગયા છે. વીતેલા 24 કલાકમાં 1,247 સંક્રમિતોનું મોત થયું છે, જે મળીને મૃતકની સંખ્યા વધીને 85,619 થઈ ગઈ છે.

Related Posts

Leave a Comment