12 કંપનીઓ ચીનથી બહાર, આવશે ભારત

by Investing A2Z

ચીન અને અમેરિકા વચ્ચેનું ટ્રેડવૉર અને કોરોના વાયરસ ફેલાયો ત્યાર પછી ચીન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તમામ સંબધનો અંત આવ્યો છે. લદાખમાં ચીની સેના ઘૂસી આવી છે, અને કબજો જમાવ્યો છે. જે સ્થિતિ વચ્ચે ચીન અને ભારત સરહદ પર તંગદિલી સર્જાઈ છે, ગમે ત્યારે યુદ્ધ થાય તેવા એંધાણ છે. પણ હાલ ભારતના પ્રેશરથી ચીની સેનાને પીછેહઠ કરવી પડી છે. જો કે કોરોના વાયરસના સંક્રમણ પછી વિશ્વના કેટલાય દેશોની કંપનીઓ ચીનમાંથી ખસી જવા તૈયાર થઈ ગઈ છે, અને કેટલીક કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. ચીનમાં નીકળવા માંગતી કંપનીઓ માટે ભારતે લાલ જાજમ બિછાવી છે, વિદેશી કંપનીઓ માટે ભારત રોકાણ માટેનો સૌથી વધુ હોટ સ્પોટ દેશ છે. ગુજરાત રાજ્ય સરકારે તો ત્રણ મહિના પહેલેથી જ ચીનમાં રહેલી વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણ લાવવા આમંત્રણ આપ્યું છે.

ગુજરાત સરકારે તાજેતરમાં નવી ઔદ્યોગિક પૉલીસી જાહેર કરી છે, જેમા સીંગલ વિન્ડોથી માંડીને નવા રોકાણ પર અનેક રાહતો અને સહાયની લહાણી કરી છે. તેવી જ રીતે ભારત સરકારે પણ આત્મનિર્ભર ભારતની વાત કરી છે, તેની સાથે વિદેશી રોકાણ આકર્ષવા માટે પણ લાલ જાજમ બિછાવી જ છે. અમેરિકા સાથેનું ટ્રેડવૉર અને કોરોના વાયરસના સંક્રમણ પછીની સ્થિતિ ભારત માટે લાભદાયી બની રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ચીન છોડનાર કંપનીઓને આકર્ષવા માટે ભારતની રણનીતિ કામ કરી રહી છે. સૈમસંગ ઈલેક્ટ્રોનિક્સથી લઈને એપલ સુધી કામ કરનારી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી છે. કેન્દ્રમાં મોદી સરકારે માર્ચમાં જ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગના ક્ષેત્રમાં કેટલાક ઈન્સેન્ટિવ્સની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં અંદાજે બે ડઝન જેટલી કંપનીઓએ ભારતમાં મોબાઈલ ફોનની ફેકટરિયો સ્થાપવાની ઈચ્છા દર્શાવી છે. આ કંપનીઓ ભારતમાં 1.5 બિલિયન ડૉલર એટલે કે 11,200 કરોડ રૂપિયા રોકાણ કરી શકે છે. સૈમસંગ ઉપરાંત ફોક્સકૉન, વિસ્ટ્રોન, પેગાટ્રોન જેવી મોબાઈલ મેન્યુફેકચરિંગ કંપનીઓએ ભારતમાં ફેકટરી સ્થાપિત કરવાની ઈચ્છા દર્શાવી છે.

હવે સરકાર આ જ રણનીતિને ફાર્મા, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ અને ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં અમલમાં લાવવા માટે વિચાર કરી રહી છે. જો કે ચીન અને અમેરિકામાં વેપાર તંગદિલી અને કોરોના સંકટનો ફાયદો ભારતને મળશે, પણ તેની પહેલા રેસમાં સૌથી પહેલા વિયતનામનું નામ છે. જ્યારે કમ્બોડિયા, મ્યાંમાર, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ જેવા દેશોમાં કંપનીઓ મોટા પાયે રોકાણ કરી રહી છે. સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડના એક સર્વે આ વાત સામે આવી છે.

ખરેખર જોવા જઈએ તો સરકારને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગમાં સૌથી વધુ આશા છે. સરકારની ધારણા છે કે આ સેકટરમાં આગામી પાંચ વર્ષોમાં 153 અબજ ડૉલરના પ્રોડક્ટ્સનું મેન્યુફેકચરિંગ થઈ શકે છે. તે ઉપરાંત ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ આ સેકટરમાં 10 લાખ નોકરીઓનું સર્જન થઈ શકે છે. એટલું જ નહી સરકારને આશા છે કે આગામી પાંચ વર્ષોમાં આ સેકટરમાં 55 અબજ ડૉલરનું વધારાનું રોકાણ પણ આવી શકે છે. સરકારનું ટાર્ગેટ છે કે આગામી પાંચ વર્ષોમાં દુનિયાભરમાં સ્માર્ટફોનના ઉત્પાદનમાં 10 ટકા હિસ્સેદારી ભારતની થશે. હાલમાં તેનો સૌથી મોટો હિસ્સેદાર ચીન છે. જે દુનિયાભરમાં મેન્યુફેકચરિંગના હબ તરીકે વિખ્યાત છે.

મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અનુસાર મોદી સરકાર મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવામાં જોડાઈ છે. હાલમાં આ સેકટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 15 ટકા યોગદાન છે, જેમાં વધારીને સરકાર 25 ટકા સુધી લઈ જવા પર વિચાર કરી રહી છે. મોદી સરકાર તે પહેલા કંપનીઓ પર ટેક્સમાં ઘટાડો કરી ચુકી છે, જેનાથી વધુ રોકાણને આકર્ષી શકાય.

21મી સદી ભારતની છે, તે વાત સાચી સાબિત થશે. ચીનની અનેક કંપનીઓ ભારતમાં રોકાણ લઈને આવશે. અને અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી પછી ભારતની આર્થિક પ્રગતિ વધુ ઝડપી બનશે.

Related Posts

Leave a Comment