કોરોના વાયરસની વેક્સિન અંગે સારા સમાચાર

by Investing A2Z

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે વિશ્વના દેશો ભારે મથામણ કરી રહ્યા છે. કોરોના વાયરસને મારવાની વેકસીન શોધવા માટે વિશ્વની મોટાભાગની તમામ લેબોરેટરી અને રીસર્ચ સેન્ટરો લાગી ગયા છે. મોટાભાગના દેશોમાં લૉક ડાઉન સમાપ્ત થયું છે, અને અનલૉક ચાલી રહ્યું છે. તેમ છતાં કોરોના પોઝિટિવ કેસો ઢગલાબંધ આવી રહ્યા છે. સરકાર કહી રહી છે કે કોરોના સાથે જીવતા શીખી જાવ અને તમામ પ્રિકોશન લઈને બહાર નીકળો… ભીડભાડવાળી જગ્યાએ ન જાવ, માસ્ક પહેરો, સોશિઅલ ડિસ્ટન્સનું પાલન કરો, બહાર જઈને આવો તો સાબુથી હાથ ધૂઓ, હાથમાં ગ્લોવ્ઝ પહેરો, અને છેલ્લે રોગપ્રતિકારક શક્તિ વધારો… વિગેરે ધ્યાન રાખશો તો કોરોના તમને ટચ નહી કરે. પણ કોરોનાની વેકસીન શોધવી જોઈએ, અને તેને કાબૂમાં લેવાવો જોઈએ. જો કે કોરોનાની વેકસીન શોધાઈ હોવાના અનેક દાવા થયા છે, પણ નક્કર કહી શકાય તેવા ચાર સમાચાર મળી રહ્યા છે.

હાલ દુનિયા કોવિડ-19ના સેકન્ડ વેવમાં જીવી રહ્યી છે. ભારતમાં પણ હજી કોરોના પીક પર નથી પહોંચ્યો. ભારતમાં દરરોજ કોરોના પોઝિટિવ નવા 10,000 કેસ આવી રહ્યા છે. આ મહામારીમાંથી ઝડપથી મુક્તિ મેળવવા માટે વેક્સીન અને દવાની શોધખોળ પર કામ ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકો દિવસરાત એક કરીને પણ તેની દવા શોધવામાં લાગી ગયા છે. આ સપ્તાહમાં વેક્સીન અને દવાને લઈને ચાર નવા અપડ્ટેસ આવ્યા છે. જાણીએ કયા કઈ આશા છે.

નવી દિલ્હીની Panacea Biotech એ અમેરિકાની એક અર્લી સ્ટેજ લાઈફ સાયન્સ કંપની Refana ની સાથે જોઈન્ટ વેન્ચર શરૂ કર્યું છે. બન્ને કંપનીઓ મળીને એક ઈનએક્ટિવેટેડ વાયરસ બેસ્ડ વેક્સીન બનાવશે. ટ્રાયલનો પહેલો ફેઝ સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે. જાણવા મળે છે કે જો બધુ બરાબર નીકળે તો આગામી 18 મહિનામાં વેક્સીન દર્દીઓને સાજા કરી દેશે.

દવા નિર્માતા કંપની જોનસન એન્ડ જોનસનએ કોવિડ-19 વેક્સીનનું ટ્રાયલ સપ્ટેમ્બરની જગ્યાએ જુલાઈમમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય તેની વેક્સીનના પ્રી-ક્લિનિકલ ડેટાની સ્ટ્રેન્થને જોતા લીધો છે. કંપનીના ચીફ સાયન્ટિફિક ઓફિસરના કહેવા પ્રમાણે કંપની તેમની વેક્સીન 2021 સુધી બજારમાં મુકી દેશે.

મુંબઈની ભારત સીરમ એન્ડ વેક્સીન લિમિટેડએ જેનેરિક ડ્રગ Ulinastatin એ કોવિડ-19 પર ટ્રાયલ શરૂ કરશે. આ દવા સેપ્સિસ માટે ઉપયોગ થાય છે. ભારત સીરમ એન્ડ વેક્સીન લિમિટેડએ તપાસ કરશે કે કોવિડ-19ના દર્દીઓમાં એક્યૂટ રિસ્પરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમના ઈલાજમાં ઉપયોગી થઈ શકે છે કે નહી. કંપનીને આ દવાની ક્લિનિકિલ સ્ટડમાં થર્ડ ફેઝ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ દવા હળવાથી સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને અપાશે. તેનું ટ્રાયલ સપ્ટેમ્બર સુધીમાં પુરુ થઈ જશે.

ન્યૂટ્રલાઈઝિંગ એન્ટીબોડીઝ દવાઓએ નવી પદ્ધતિ છે. AstraZeneca, Eli Lilly અને Regeneron જેવી કંપનીઓ તેના પર કામ શરૂ કર્યું છે. એસ્ટ્રાઝેનેકાનું કહેવું છે કે તેને વૈડરબિલ્ડ યુનિવર્સિટીએ કોરોના વાયરસ ન્યૂટ્રલાઈઝિંગ એન્ટીબોડીઝનું લાઈન્સ લીધું છે. કંપની આ મોનોક્લોનલ એન્ટિબોડીઝને પોટેન્શિયલ કોમ્બિનેશન થેરપીની જેમ ક્લિનિકલ ડેવલપમેન્ટમાં લાવવા ઈચ્છી રહી છે.

Related Posts

Leave a Comment