

આ બાયપાસ રસ્તો છેલ્લા બે વર્ષથી બનતો હતો, ત્યારે તેણે કેમ વિરોધ ન કર્યો, અને ઉદઘાટન કર્યા પછી વિરોધ કરવાનું શરૂ કર્યું છે. રસ્તો બનતો હતો, ત્યારે કોઈ વાંધો ન ઉઠાવ્યો. ત્યારે હવે સવાલ એ થાય કે કોના ઈશારે નેપાળ આવો વિરોધ નોંધાવે છે.

નેપાળે લિપુલેખ અને કાલાપાની મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો છે, અને આ વિસ્તાર નેપાળનો હોવાનો દાવો કર્યો છે. કાઠમાંડુમાં સ્થિત ભારતીય દૂતાવાસ સામે નેપાળી લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતાં અને નેપાળી વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂતને જાણ કરીને આવેદનપત્ર પણ આપ્યું હતું. નેપાળી વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને ભારતીય રાજદૂતની સાથે બેઠક કરીને સરહદ મુદ્દે નેપાળની સ્થિતિની જાણકારી આપી હતી, અને એક સત્તાવાર પત્ર પણ આપ્યો હતો, ભારત અને નેપાળ બન્ને દેશો કાલાપાનીને પોતાના દેશના અભિન્ન અંગ માને છે. ભારત તેને ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાનું જ્યારે નેપાળ ધારચુલા જિલ્લાનો હિસ્સો માને છે. નેપાળમાં સત્તા પર રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદોએ એક વિશેષ પ્રસ્તાવ રજૂ કરીને કાલાપાની, લિમ્પિયાધુરા અન લિપુલેખને નેપાળના ક્ષેત્રમાં પાછા લાવવા માટેની માગ કરી છે. સાંસદોએ દાવો કર્યો છે કે મહાકાલી નદીની પૂર્વ હિસ્સા પર અંદાજે 400 કિલોમીટરની જમીન પર અતિક્રમણ કરાઈ રહ્યું છે અને તેને પરત લેવા માટેની માગ ઉઠી છે.



ભારત અને નેપાળ વચ્ચે રોડનો વિરોધ થતાં અને આ વિવાદને વધુ ઘેરો કરવા માટે ચીન શાંતિદૂત બનીને સલાહ આપે છે. ચીન વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતું કે કાલાપાની સરહદનો મુદ્દો ભારત અન નેપાળની વચ્ચેનો છે, અને આશા રાખું છું કે બન્ને પડોશી દેશ એકતરફી પગલાં ભરવાથી દૂર રહે અને મૈત્રીપૂર્ણ રીતે પોતાનો વિવાદ ઉકેલે.
