

આર્થિક પેકેજની જોગવાઈઓ
- કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં જોડાયા છે તેવો મેડિકલ સ્ટાફ, જેમાં ડૉકટર, નર્સ, આશા વર્કરને સરકાર તરફથી 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. 20 લાખ જેટલા મેડિકલ સ્ટાફને આનો લાભ મળશે.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મુજબ 80 કરોડ ગરીબોને ત્રણ મહિના સુધી 5 કિલો ચોખા અથવા ઘઉ અને એક કિલો દાળ મફત આપવામાં આવશે.
- સીનીયર સીટીઝન, દિવ્યાંગો અને વિધવાને બે હપતામાં રૂ. 1000 ત્રણ મહિના સુધી અપાશે. આનાથી 3 કરોડ લોકોને લાભ મળશે.
- 7 કરોડ ખેડૂતોના ખાતામાં એપ્રિલ મહિના પહેલા રૂ. 2000 ડાયરેક્ટ ટ્રાન્સફર થશે.
- મનરેગા યોજનાનો લાભ 5 કરોડ પરિવારને મળે છે. મનરેગામાં કામ કરનારનું વેતન રૂ. 182થી વધારીને 202 કરાયું છે.
- જનધન યોજનામાં જે 20 કરોડ મહિલાઓના ખાતા ખૂલ્યા હતા, તેમને ખાતામાં ત્રણ મહિના સુધી રૂપિયા 500 ટ્રાન્સફર કરાશે.
- 3 કરોડ બીપીએલ પરિવારોને 3 મહિના સુધી ઉજ્જવલા યોજના હેઠળ ફ્રીમાં એલપીજી સિલીન્ડર આપવામાં આવશે.
- સરકાર એમ્પ્લોયી અને એમ્પોલયર બન્ને માટે ઈપીએફનું યોગદાન આપશે. 100થી ઓછા કર્મચારીઓ હોય તેવા અને જે કર્મચારીઓનો પગાર રૂપિયા 15,000થી ઓછો હોય તેમનો ઈપીએફનો હિસ્સો ત્રણ મહિના સુધી સરકાર આપશે. આ જોગવાઈથી 80 લાખ મજૂરો અને 4 લાખ જેટલા સંગઠિત એકમોને લાભ થશે.
- ઈપીએફઓના રેગ્યુલેશનમાં સ્પેશિયલ ફેરફાર કરાયો છે, જે મુજબ ઈપીએફમાં જમા રકમના 75 ટકા અથવા તો ત્રણ મહિનાનો પગાર જે ઓછું હોય તે રકમ જરૂર પડે તો તે ઉપાડ કરી શકાશે.


આરબીઆઈની જાહેરાત
- રેપો રેટ 75 ટકા ઘટાડી 4 ટકા કરાયો
- રીવર્સ રેપો રેટ 90 ટકા ઘટાડી 4 ટકા કરાયો
- સીઆરઆર- કેશ રીઝર્વ રેશિયો 1 ટકા ઘટાડીને 3 ટકા કરાયો, જેનાથી બેંકમાં 37 લાખ કરોડની લીકવીડિટી છૂટી થશે
- લીકવીડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી 90 ટકા ઘટી 4 ટકા કરાયો
- માર્જિન સ્ટેન્ડિંગ ફેસીલિટી 2 ટકાથી વધારી 3 ટકા કરાઈ
ચાલુ નાણાકીય વર્ષના સેકન્ડ હાફમાં જીડીપી ગ્રોથ 4.4 ટકા હાંસલ કરવો મુશ્કેલ છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા અને સ્થાનિક ઈકોનોમીને સ્થિરતા આપવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી હતો. ટર્મ લોનના ઈએમઆઈ 3 મહિના માટે મોરાટોરિયમ કરાયા છે, એટલે કે મોકૂફ રખાયા છે. આમ ત્રણ મહિનાના હપ્તા નહી ચૂકવો તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર નેગેટિવ અસર નહી થાય.